Hanuman Jayanti પર બની રહ્યો છે મહાસંયોગ, બજરંગબલીની પૂજા દરમિયાન ન પહેરતા આ રંગના કપડા

ADVERTISEMENT

Hanuman Jayanti 2024
હનુમાન જયંતી પર આ ભૂલ ન કરતાં
social share
google news

Hanuman Jayanti 2024: સનાતન ધર્મમાં ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો પર બજરંગબલીની કૃપા બની રહે છે, તેમના ઘરમાં હંમેશા ખુશીઓ રહે છે. આ સિવાય તેમના જીવનમાં આવનારી સમસ્યાઓ પણ ધીમે-ધીમે ઘટવા લાગે છે.

ચૈત્ર પૂર્ણિમાએ મનાવાય છે હનુમાન જયંતી 

દર વર્ષે ચૈત્ર પૂર્ણિમા તિથિના દિવસે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ વખતે ચૈત્ર પૂર્ણિમા તિથિનો પ્રારંભ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03:25 વાગ્યાથી થઈ રહ્યો છે, જેનું સમાપન 24 એપ્રિલના રોજ સવારે 05:18 વાગ્યે થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષે હનુમાન જયંતિના દિવસે અનેક મહાસંયોગો બની રહ્યા છે.

હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત 

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે હનુમાન જયંતી પર બજરંગબલીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 09:03થી બપોરે 01:58 સુધી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

હનુમાન જયંતીની પૂજા વિધિ

- બજરંગબલીની પૂજા કરવા માટે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- આ પછી તમારા ઘરના મંદિરમાં એક બાજોટ મૂકો, તેના પર લાલ રંગનું કપડું પાથરો અને હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો.
- હનુમાનજીને ફૂલ, સિંદૂર અને પીળા લાડુ અર્પિત કરો. આ દરમિયાન હનુમાનજીના મંત્રનો જાપ કરતા રહો.
- છેલ્લે હનુમાનજીની આરતી કરો.

હનુમાન જયંતી પર 3 વર્ષ બાદ બન્યા મહાસંયોગ

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, મંગળવાર અને શનિવારનો દિવસ  ભગવાન હનુમાનજીને સમર્પિત હોય છે. આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વખતે 3 વર્ષ બાદ મંગળવારે હનુમાન જયંતી આવી રહી છે. આ ઉપરાંત આ દિવસે ચિત્રા નક્ષત્ર અને વર્જ યોગનો પણ મહાસંયોગ બની રહ્યો છે.

ADVERTISEMENT

પૂજા દરમિયાન કયા રંગના કપડાં ન પહેરવા જોઈએ?

ધાર્મિક માન્યતા અનુસાર, હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ. જો તમે આ રંગના કપડા પહેરીને બજરંગબલીની પૂજા કરો છો તો હનુમાનજી તમારાથી નારાજ થઈ શકે છે. બજરંગબલીની પૂજા કરતી વખતે લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ છે.

ADVERTISEMENT

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ અને રામાયણ પર આધારિત છે અને માત્ર માહિતી માટે આપવામાં આવી છે. અમે આની પુષ્ટી કરતા નથી.  
 

    follow whatsapp

    ADVERTISEMENT