Kuwait Fire Tragedy: કોઈ એકાઉન્ટન્ટ તો કોઈ એન્જિનિયર...કુવૈત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોની નામજોગ યાદી જાહેર
Kuwait Fire Tragedy Indian Survivors Identified: કુવૈતના મંગાફ શહેરમાં આવેલી NBTC બિલ્ડિંગમાં લાગેલી ભીષણ અગ્નિકાંડમાં લગભગ 50 લોકો જીવતા ભૂંજાયા હતા, તેમાં 45 ભારતીયોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

Kuwait Fire Tragedy Indian Survivors Identified: કુવૈતના મંગાફ શહેરમાં આવેલી NBTC બિલ્ડિંગમાં લાગેલી ભીષણ અગ્નિકાંડમાં લગભગ 50 લોકો જીવતા ભૂંજાયા હતા, તેમાં 45 ભારતીયોનો સમાવેશ થાય છે. જેમની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાં કેરળના 23, તમિલનાડુના 7, આંધ્રપ્રદેશના 3, ઉત્તર પ્રદેશના 3, ઓડિશાના 2 અને બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, હરિયાણાના એક-એક ભારતીયનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે, કુવૈતમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના અવશેષો લઈને આજે ભારતીય વાયુસેનાનું વિમાન કોચી પહોંચ્યું છે.
પરિવારજનોને સોંપાશે અવશેષો
પીડિતોમાં એન્જિનિયર, ડ્રાઈવર, સુપરવાઈઝર અને અન્ય પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ ભારતીય વાયુસેનાના વિમાનમાં તમામ 45 મૃતદેહો લઈને ભારત આવ્યા છે. પ્લેન કોચી એરપોર્ટ પર લેન્ડ કર્યું છે. ત્યાં કેરળ અને તમિલનાડુના મૃતકોના અવશેષો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. આ પછી પ્લેન દિલ્હી એરપોર્ટ પહોંચશે. ચાલો જોઈએ કે મૃતકોમાં કોણ કોણ સામેલ છે...
અહીં જુઓ મૃતકોની યાદી

ADVERTISEMENT


ADVERTISEMENT
ADVERTISEMENT



ADVERTISEMENT