શું કોરોના વેક્સિનના કારણે યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ વધ્યા છે? ICMRના અભ્યાસમાં જુઓ શું ખુલાસો થયો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Heart Attack Deaths: ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19 રસીકરણથી દેશમાં યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એવા ઘણા પરિબળો છે જેના કારણે અકાળે મૃત્યુની શક્યતા વધી ગઈ છે. કોવિડને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું, અચાનક મૃત્યુની ફેમિલી હિસ્ટ્રી અને જીવનશૈલીમાં ફેરફાર જેવા કે વધુ પડતું શારીરિક કામ કરવું અને દારૂ અને સિગારેટનું વધુ પડતું સેવન જેવા પરિબળો સામે આવ્યા છે.

18થી 47 વર્ષના મૃતકોનો કરાયો અભ્યાસ

આ અભ્યાસમાં સમગ્ર ભારતમાંથી 18 થી 45 વર્ષની વયના 47 ટેરિટરી કેર હોસ્પિટલના પ્રતિભાગિયોનો સમાવેશ થાય છે, જેઓ 1 ઓક્ટોબર, 2021 અને માર્ચ 31, 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુના કારણો સ્પષ્ટ થયા ન હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ રસીકરણથી યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

અચાનક કેમ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા

અભ્યાસ દરમિયાન, મૃત્યુના 729 કેસ જોવામાં આવ્યા હતા અને એવા કેસોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમને ગંભીર કોવિડ હતો અને તેઓ જીવિત હતા. આ તમામ લોકોનો તબીબી ઇતિહાસ, ધૂમ્રપાન, દારૂનું સેવન અને વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ જેવી વર્તણૂક, શું તેઓ કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને શું તેમને રસી આપવામાં આવી હતી? આ તમામ પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી, પરંતુ પુખ્ત વયના લોકોમાં આ જોખમ ઓછું થયું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

થોડા સમય પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અભ્યાસને ટાંકીને લોકોને ચેતવણી આપી હતી કે, જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત છે તેઓએ એક કે બે વર્ષ સુધી વધુ મહેનત કરવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતો એમ પણ કહે છે કે કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ કસરત કરવી જોઈએ. તમારે તમારા આહાર પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. હાર્ટ એટેકથી બચવા માટે, વ્યક્તિએ તે જ સમયે વધુ પડતી અને સખત કસરત કરવાનું ટાળવું જોઈએ.

ભારતમાં યુવાનોમાં અચાનક મૃત્યુના અહેવાલોએ સંશોધકોને આ તપાસ હાથ ધરવા પ્રેરિત કર્યા. ભારતમાં આ ઝડપી મૃત્યુએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે કે શું આ તમામ મૃત્યુ કોવિડ -19 ચેપ અથવા કોવિડ રસીકરણથી સંબંધિત છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT