આ મંદિરમાં માતાજીએ તોડ્યું હતું અકબરનું અભિમાન, પરચો મળતા ખુલ્લા પગે ચાલીને ચડાવ્યું હતું સોનાનું છત્ર

ADVERTISEMENT

Jwala devi temple
Jwala devi temple
social share
google news

Jwala Mandir: પવિત્ર શક્તિપીઠ ભારતભરમાં જુદા જુદા સ્થળોએ સ્થાપિત છે. દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન છે, દેવી ભાગવતમાં 108 શક્તિપીઠો અને દેવી ગીતામાં 72 શક્તિપીઠો જોવા મળે છે. આ શક્તિ પીઠમાં આજે પણ ભક્તોની અપાર શ્રદ્ધા અને માનતા છે. લાખોની સંખ્યામાં માના દર્શન કરવા માટે ભક્તો રોજ જતા હોય છે. ભારતમાં આવેલા આ શક્તિપીઠમાંથી એક છે જ્વાલામુખી મંદિર, જ્યાં આવીને અકબરનું પણ અભિમાન તૂટ્યું હતું.

જ્વાલાદેવી મંદિરનો શું છે ઈતિહાસ?

જ્વાલાજી મંદિરને જ્વાલામુખી અથવા જ્વાલા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્વાલાજી મંદિર હિમાચલ પ્રદેશની કાંગડા ખીણથી 30 કિમી દક્ષિણે આવેલું છે અને ધર્મશાલાથી 56 કિ.મી. ના અંતરે આવેલું છે. જ્વાલાજી મંદિર હિન્દુ દેવી "જ્વાલામુખી" ને સમર્પિત છે. કાંગડાની ખીણોમાં, જ્વાલા દેવી મંદિરમાં નવ અખંત જ્યોત બળે છે, જે સમગ્ર ભારતમાંથી હિન્દુ યાત્રાળુઓને આકર્ષે છે. આ એક એવું અદ્ભુત મંદિર છે જેમાં ભગવાનની કોઈ મૂર્તિ નથી. એવું માનવામાં આવે છે કે દેવી મંદિરની પવિત્ર જ્વાળાઓમાં નિવાસ કરે છે, જે ચમત્કારિક રીતે બહારના કોઈપણ બળતણ વિના દિવસ-રાત પ્રજ્વલે છે.

આ જ્યોતના દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આધ્યાત્મિક શાંતિની સાથે પાપમાંથી મુક્તિ મળે છે. અલૌકિક જ્યોતિઓ સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે જે પાણીમાં પણ ઓલવાતી નથી. આ જ્વાળાઓ અનાદિ કાળથી સતત પ્રજ્વલિત છે. આ મંદિરમાં માતાના સન્માનમાં દિવસમાં એક-બે નહીં પરંતુ પાંચ આરતીઓ કરવામાં આવે છે. માતાના આ અલૌકિક મંદિર સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. જે તેના પ્રાચીન અને ઐતિહાસિક હોવાની સાક્ષી છે. માતાજીની જીભ જ્વાળામુખીમાં પડી હતી. અગ્નિનું તત્વ જીભમાં જ હોવાનું કહેવાય છે, જેના કારણે અહીં તેલ કે ઘી વગર દિવ્ય જ્યોત બળતી રહે છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

જ્વાલા દેવી મંદિરનું રહસ્ય અને વાર્તા?

જ્વાલા દેવી મંદિરના રહસ્ય પાછળની વાર્તા એ છે કે માતાજી જ્યોતના રૂપમાં પ્રગટ થયા હતા. આ માતાજીનો ચમત્કાર જ છે કે આ જ્યોત પાણીના સંપર્કમાં આવે ત્યારે પણ બુઝાતી નથી. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે અને હિંદુ ભક્તો માને છે કે જ્વાલા દેવી મંદિરની યાત્રાથી તેમની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સતીની જીભ આ સ્થાન પર પડી હતી. બાદમાં રાજા ભૂમિચંદ કટોચે આ ભવ્ય મંદિર અને નવ જ્યોતનું નિર્માણ કરાવ્યું. જ્વાલા દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે - મહાકાલી, અન્નપૂર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્ય વાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજની દેવી.

આ મંદિર પાછળ એક પૌરાણિક કથા પણ છે. વાર્તા એવી છે કે, હજારો વર્ષ પહેલાં, એક ભરવાડને જાણવા મળ્યું કે તેની એક ગાયમાં દૂધ રહેતું નથી. એક દિવસ તે ગાયની પાછળ ગયો અને ત્યાં એક નાની છોકરીને જોઈ, જે ગાયનું આખું દૂધ પીતી હતી. તેમણે રાજા ભૂમિ ચંદને આની જાણ કરી, જેમણે તેમના સૈનિકોને તે પવિત્ર સ્થળ શોધવા માટે જંગલમાં મોકલ્યા જ્યાં મા સતીની જીભ પડી હતી કારણ કે તેઓ માનતા હતા કે નાની છોકરી કોઈક રીતે દેવીનું સ્વરૂપ છે. થોડા વર્ષો પછી, પર્વતમાં જ્વાળાઓ જોવા મળી અને રાજાએ તેની આસપાસ એક મંદિર બનાવ્યું. એવું પણ માનવામાં આવે છે કે પાંડવોએ આ મંદિરની મુલાકાત લીધી હતી અને તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો.

ADVERTISEMENT

માતાજીએ તોડ્યું હતું અકબરનું અભિમાન

એવું માનવામાં આવે છે કે રાજા અકબરે માતા જ્વાલાજીના અનન્ય ભક્ત ધ્યાનુની ભક્તિ અને વિશ્વાસની કસોટી કરી હતી, જ્યારે ધ્યાનુ માતાના દરબારમાં તેના સાથીઓ સાથે માથું નમાવવા માટે આગ્રાથી તરફ જઈ રહ્યો હતો. તેલ અને ઘી વગર સળગતી જ્યોતને દંભ ગણાવ્યા પછી અકબરે એક શરત મૂકી કે જો તે ધ્યાનુના ઘોડાનું માથું ધડથી અલગ કરી નાખે તો ધ્યાનુના માતાજી તેને ફરીથી જોડી શકે?

ADVERTISEMENT

ધ્યાનુએ હામાં જવાબ આપ્યા પછી, અકબરે ઘોડાનું માથું કાપી નાખ્યું હતું, જે પછી જ્વાલાજીની શક્તિ દ્વારા ફરીથી જોડાઈ ગયું હતું. ભક્ત ધ્યાનુએ પણ માતાજી સમક્ષ પોતાનું માથું ધડથી કાપીને અલગ કરી નાખ્યું હતું. પરંતુ માતાજીની અદ્ભુત શક્તિએ ફરીથી માથાને શરીર સાથે જોડી દીધું. એવું માનવામાં આવે છે કે આ પ્રયાસ પછી અકબરે પવિત્ર જ્યોતની જગ્યા પર લોખંડના કડા લગાવડાવી દીધા, જેથી જ્યોત બુઝાઈ જાય. બાદમાં જંગલમાંથી નીકળતી પાણીની નહેર પણ જ્યોત પર રેડવામાં આવી હતી. પરંતુ માતાજીના ચમત્કારથી પાણીમાં પણ પવિત્ર જ્યોત પ્રજ્વલિત રહી.

અકબરે ખુલ્લા પગે આવીને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું

જ્યારે રાજા અકબરના તમામ પ્રયત્નો પછી પણ જ્યોત ઓલવાઈ નહીં, ત્યારે તેણે આ અદ્ભુત શક્તિ સામે પ્રણામ કર્યા અને દિલ્હીથી જ્વાલાજી સુધી પગપાળા ચાલ્યા હતા અને માતાજીના ચરણોમાં સોનાનું છત્ર અર્પણ કર્યું હતું. અકબરને એ વાતનો ગર્વ હતો કે તેમના જેવું સોનેરી છત્ર કોઈ આપી શકે તેમ નથી. પરંતુ માતાજીએ અકબરનું અભિમાન તોડતા છત્રનો અસ્વીકાર કર્યો અને છત્ર ચડાવતા જ તે બીજી કોઈ ધાતુમાં બદલાઈ ગયું. આજ સુધી, ઘણા વૈજ્ઞાનિકો દ્વારા તપાસ કરવા છતાં, આ ધાતુ કઈ છે તે શોધી શકાયું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT