એલ્વિશ યાદવ: જે સાપના ડંખથી મોત થાય તેનાથી નશો કઇ રીતે થાય?

Krutarth

ADVERTISEMENT

Elvish Yadav case
Elvish Yadav case
social share
google news

નવી દિલ્હી : સાપના નશામાંથી ઝેર બનાવતા સમયે ખુબ જ સાવધાની વર્તવામાં આવે છે. ખાસ કરીને ડોઝ હલ્કો હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે ઝેરમાં અન્ય કેટલાક કેમિકલ પણ મિક્ષ કરવામાં આવે છે. ડોઝ લેનારા વ્યક્તિનો નશો થોડા જ કલાકોમાં દિમાગ સુન્ન પડી જાય છે. જ્યાં સુધી વાત કોબરા અને વાઇપરની છે તેના ઝેર લોહી થિજાવી દે છે.

બે નવેમ્બરે નોએડા પોલીસના વન વિભાગે દરોડા પાડીને પાંચ લોકોને 9 સાંપની સાથે ઝડપી લીધા છે. 9 માંથી 5 સાપ તો કોબરા છે જે ખુબ જ ઝેરી ગણાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસે એક અઝગર, એક ઘોડા પછાડ સાપ પણ પકડાયો હતો. સાથે જ પોલીસે આરોપીઓની પાસે 20 ML સાપનું ઝેર પણ મળી આવ્યું હતું. આરોપીઓની ધરપકડથી ચોંકાવનારી વાત સામે આવી છે કે સાંપોના ઝેરનો ઉપયોગ એનસીઆરમાં થનારી રેવ પાર્ટીમાં કરવામાં આવે છે.

સમગ્ર મામલો તે સમયે સામે આવ્યો જ્યારે એક NGO દ્વારા ફરિયાદ કરવામાં આવી કે, નોએડા પોલીસને લખીને આપ્યું કે તેમને મદારી રાહુલનો નંબર એલ્વિસ યાદવ દ્વારા મળ્યો હતો. પછી પોલીસે ફરિયાદ દાખલ કરી જેમાં પાંચ મદારીઓની સાથે એલ્વિસ યાદવનું નામ પણ છે. જો કે પોલીસનું કહેવું છે કે, એલ્વિસ પર જે આરોપ લગાવાઇ રહ્યા છે, તેમને વેરીફાઇન કરવામાં આવી રહ્યા છે. તથ્યોની તપાસમાં જે પુરાવા સામે આવશે તે અનુસાર જ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ મામલો સામે આવ્યા બાદ દરેક કોઇના મનમાં ઉઠી રહ્યો હશે કે જે કોબરા સાંપના ડંખથી કોઇ પણ વ્યક્તિ મિનિટોમાં મરી જાય છે, તો પછી આ ઝેરનો ઉપયોગ પાર્ટીમાં કઇ રીતે કરવામાં આવી શકે છે. દેશમાં 30 ટકા જ સાંપ ઝેરી હોય છે. તેમાં કેટલાકનું ઝેર સીધું મગજ પર અસર કરે છે. પેરૈલિસિસ એટેક પણ આવે છે. જ્યારે કેટલાક લોકોના ઝેરની અસર લોહીમાં થાય છે. લોહી જામ થવા લાગે છે. નશા માટે તે ઝેરનો ઉપયોગ થાય છે જે મગજ પર અસર કરે છે.

સાપના ઝેરથી નશો બનાવતા સમયે ખુબ જ સાવધાની વર્તાય છે, ખાસ કરીને ડોજ હલ્કી હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ઝેરમાં કેટલાક બીજા કેમિકલ પણ મિલાવાય છે જેથી ડોઝ હલકો રહે અને સામેવાળા વ્યક્તિને નશો થોડા કલાકો માટે મગજ સુન્ન પડી જાય. જ્યા સુધી વાત કોબરા અને વાઇપરની છે તેનું જેર લોહીને જમાવી દે છે.

ADVERTISEMENT

કઇ રીતે અસર કરે છે સાપનું ઝેર

સાપના ઝેરથી બનેલો નશા સામાન્ય રીતે જે નશો ઉપલબ્ધ હોય છે, તે તેના કરતા અલગ હોય છે. આ દારૂ અને ત્યાં સુધી કે ડ્રગ્સ કરતા પણ વધારે તેજ હોય છે અને તેનો નશો ચડે છે અને મોડે સુધી શરીર પર તેની અસર રહે છે. જો કે અનેક વખત તે ખતરનાક પણ સાબિત થાય છે. ભુલથી સાપનું ઝેરથી બનેલો નશો કોઇને વધારે પ્રમાણમાં લે તો મોત પણ શક્ય છે.

ADVERTISEMENT

મળતી માહિતી અનુસાર રેવ પાર્ટીમાં હવે કેટલાક યુવાનો સાપના ઝેરનો નશો કરવા લાગે છે. એટલે સુધી કે કેટલાક સાપ પાસે સીધો જ ડંખ પણ લેવડાવે છે. આવી રેવ પાર્ટીમાં મદારીઓને લઇને પહોંચે છે અને લોકોને ડંખ મરાવે છે.

દવામાં પણ હોય છે ઝેરનો ઉપયોગ

સાપના ઝેરનો ઉપયોગ ચિકિત્સા પદ્ધતીમાં પહેલેથી થતો આવ્યો છે. આ સાથે જ કેટલાક લોકોએ તેનો ઉપયોગ નશા તરીકે પણ શરૂ કરી દીધો. સાપોના ઝેરનો ઉપયોગ એન્ટી વેનમ તરીકે પણ કરવામાં આવે છે. કોબરાના ઝેરથી અનેક દવાઓ પણ બને છે. ખાસ કરીને હાર્ટ સ્ટ્રોક અને ભુલવાની બિમારીમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ખુબ જ મોંઘું હોય છે કોબરાનું ઝેર

સાંપનું ઝેર ખુબ જ મોંઘુ વેચાય છે અને જો કોબરાની વાત કરીએ તો તેની કોઇ કિંમત જ નથી. એક એક ટીપાની કિંમત લાખો રૂપિયા સુધી વેચાઇ શકે છે. તેવામાં જ્યારે સાંપના ઝેરથી નશો બનાવવામાં આવે છે તો અનેક કેમિકલનો ઉપયોગ કરીને તેની માત્રા વધારી દેવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT