Breaking: મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને આપ્યું રાજીનામું

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ દિલ્હીના શિક્ષણમંત્રીની સીબીઆઈ દ્વારા રવિવારે કરવામાં આવેલી ધરપકડ પછી આજે સુપ્રીમ કોર્ટમાં તેમણે આ બાબતે પડકાર ફેંક્યો હતો જ્યાંથી તેમને મોટો ઝટકો મળ્યો છે, આ ઝટકા પછી આજે મંગળવારે સાંજે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ સત્યેન્દ્ર જૈને પણ રાજીનામુ આપી દીધાની વિગતો સામે આવી રહી છે.

સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા હાલમાં વિવાદો સાથે જોડાયેલા છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને જેલ મંત્રી સત્યેન્દ્ર જૈને પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. સૂત્રો પ્રમાણે તેમના રાજીનામાને અરવિંદ કેજરીવાલે લીલીઝંડી પણ આપી દીધી છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડના મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કડકાઈથી પુછ્યું હતું કે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવી ગયા. પહેલા હાઈકોર્ટ જાઓ. મનીષ સિસોદિયાની સીબીઆઈએ રવિવારે ધરપકડ કરી હતી. સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની ધરપકડ અને સીબીઆઈ તપાસને લઈને પડકાર આપ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

અત્યારથી કરી લ્યો તૈયારી.. શુકવારથી નહીં મળે CNG ગેસ, જાણો શું છે કારણ

સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડના મામલામાં સુનાવણી કરી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ નરસિમ્હાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન CJIએ કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા?

5 દિવસના CBI રિમાન્ડમાં
તે જ સમયે, સીબીઆઈએ તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે સિસોદિયાને 5 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. CBIએ મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી છે. સીબીઆઈએ સિસોદિયા માટે પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ નવેસરથી પૂછપરછ કરશે. અગાઉની પૂછપરછ દરમિયાન જે સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું તેમને આ પ્રશ્નો ફરીથી પૂછવામાં આવશે.

ADVERTISEMENT

નવી દારૂ નીતિ 2021 માં લાગુ કરવામાં આવી હતી
નવી આબકારી નીતિ 17 નવેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ લાવીને માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી. જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને આ મામલે રિપોર્ટ સોંપ્યો હતો. આમાં, એક્સાઇઝ પોલિસીમાં ગરબડની સાથે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ રવિવારે આ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

સીબીઆઈએ જણાવ્યું હતું કે નવી આબકારી નીતિમાં કથિત અનિયમિતતાના મામલાની તપાસ માટે નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી આબકારી મંત્રી અને અન્ય 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 19 ફેબ્રુઆરી 2023 ના રોજ, નાયબ મુખ્યમંત્રીને તપાસમાં સહકાર આપવા માટે CrPC ની કલમ 41-A હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી.

 

    follow whatsapp

    ADVERTISEMENT