EDની કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો પહેલો ઓર્ડર, દિલ્હીમાં હવે 'જેલમાંથી ચાલી રહી છે સરકાર'
Arvind Kejriwal Arrest News: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 'જેલમાંથી ચાલશે સરકાર' મોડ શરૂ થયો છે.
ADVERTISEMENT
Arvind Kejriwal Arrest News: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 'જેલમાંથી ચાલશે સરકાર' મોડ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલે EDની કસ્ટડીમાંથી પોતાનો પહેલો આદેશ જાહેર કર્યો છે, જે જળ મંત્રાલય સાથે સંબંધિત છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીને ઓર્ડરની નોટિસ પણ મોકલવામાં આવી છે. જળ મંત્રી આતિશી આજે એટલે કે રવિવારે સવારે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.
કેજરીવાલ 28 માર્ચ સુધી ED રિમાન્ડમાં
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ઈડીને 28 માર્ચ સુધી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ આપ્યા છે. કોર્ટની અંદર મીડિયા સાથે વાતચીત દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ નહીં અને જો મારે કરવું પડશે તો હું જેલમાંથી સરકાર ચલાવીશ. તેમણે કહ્યું હતું કે અંદર હોય કે બહાર... સરકાર ત્યાંથી ચાલશે. સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, 'મને ખાતરી છે કે અમને સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ અમે કામ કરવાથી પાછળ હટીશું નહીં. દિલ્હીના લોકો આ જ ઈચ્છે છે.'
'હું બિલકુલ ડરતો નથી'
ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, EDના અધિકારીઓ સારી રીતે અને સન્માનપૂર્વક વ્યવહાર કર્યો છે. અટકાયત દરમિયાન પૂછપરછ અપેક્ષિત નથી. શું તમે ડરી ગયા છો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હું બિલકુલ ડરતો નથી, તેઓ જે ઈચ્છે તે માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. તેમનો ઉદ્દેશ્ય પૂછપરછ કરવાનો નથી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડના કિંગપિન કહેવાના સવાલ પર તેમણે કહ્યું, 'નીતિ ઘણા સ્તરોમાંથી પસાર થઈ છે. કાયદા સચિવ, નાણાં સચિવ તમામે હસ્તાક્ષર કર્યા છે. એલજીએ પણ હસ્તાક્ષર કર્યા હતા. તો સમજાતું નથી કે માત્ર કેજરીવાલ અને સિસોદિયા જ કેમ જેલમાં છે?'
આ પણ વાંચો
ADVERTISEMENT
ADVERTISEMENT