કરોડપતિથી રોડપતિ બનાવી દે છે આ હથેળીની રેખાઓ, ચેક કરો ક્યાંક તમારા હાથમાં તો નથીને?

Gujarat Tak

ADVERTISEMENT

Bad Luck Line in Palm
કરોડપતિને પણ કંગાળ બનાવી દે છે આ હસ્તરેખાઓ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હાથની રેખાઓ જોઈને જણાવાય છે વ્યક્તિનું ભવિષ્ય

point

હથેળીમાં હોય છે કેટલીક રેખાઓ અને નિશાનો

point

કેટલાક નિશાન અને રેખાઓ હોય છે અશુભ

Bad Luck Line in Palm: હસ્તરેખાશાસ્ત્રમાં હાથની રેખાઓ જોઈને વ્યક્તિનું ભવિષ્ય જણાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હથેળીમાં કેટલીક એવી રેખાઓ અને નિશાન હોય છે જે ખૂબ જ શુભ હોય છે, પરંતુ કેટલાક નિશાન અને રેખાઓ અશુભ પણ હોય છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જે લોકોની હથેળીમાં આ અશુભ રેખાઓ હોય છે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. સાથે જ તેઓને દરેક સમયે નાણાકીય કટોકટીનો સામનો કરવો પડે છે. મહેનત કર્યા પછી પણ તેમને સફળતા મળતી નથી. તો આજે આ સમાચારમાં આપણે જાણીશું કે હથેળી પર કઈ કઈ રેખાઓ અને નિશાનો છે જે દુર્ભાગ્યને દર્શાવે છે. ચાલો વિગતવાર જાણીએ. 


દ્વીપનું નિશાન

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિના હાથની હથેળીમાં કોઈ પર્વત પર દ્વીપનું નિશાન હોય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ નિશાન જે પર્વત પર હોય છે તે જાતક પર વિપરીત અસર કરે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો આ રેખા ગુરુ પર્વત પર છે તો વ્યક્તિના માન-સન્માનમાં ઘટાડો થાય છે. સાથે જ નોકરી સંબંધિત સમસ્યાઓ આવવા લાગે છે.

ક્ષૈતિજ રેખાઓ

શાસ્ત્રો અનુસાર, જે લોકોની અનામિકા આંગળી પર ક્ષૈતિજ રેખાઓ (આડી રેખાઓ) હોય છે તે લોકો સારા નથી હોતા. એવું માનવામાં આવે છે કે ક્ષૈતિજ રેખાઓ દુર્ભાગ્યનો સંકેત આપે છે. સાથે જ સામાજિક પ્રતિષ્ઠા પણ ઘટે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કાળો ડાઘ

જે લોકોની હથેળીમાં કાળો ડાઘ હોય છે તે શુભ નથી હોતો. માન્યતા છે કે હથેળીમાં કાળો ડાઘ હોવાથી દુર્ભાગ્ય દરેક સમયે સાથે રહે છે. સાથે જ દરેક સમયે જીવનમાં પરેશાનીઓ આવતી રહે છે.  

ભાગ્ય રેખા પર તલનું નિશાન

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, ભાગ્ય રેખા પર તલનું નિશાન અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકોની હથેળીમાં ભાગ્ય રેખા પર તલ હોય છે. એવા લોકોને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથએ જ આર્થિક મુશ્કેલીઓ પણ ઊભી થાય છે.

ADVERTISEMENT


નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT