360 દિવસની જેલ બાદ 42 દિવસ માટે બહાર આવશે સત્યેન્દ્ર જૈન, SCએ વચગાળાના જામીન આપ્યા

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડના આધારે જૈનને 42 દિવસ માટે જામીન આપ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં 30 મે 2022ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તેને 360 દિવસ બાદ વચગાળાના જામીન મળ્યા હતા.

સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જૈનને ડીડીયુ હોસ્પિટલમાંથી દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો.

કેજરીવાલે કેન્દ્ર પર નિશાન સાધ્યું
સત્યેન્દ્ર જૈનની તબિયત બગડવાના સમાચાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે જે વ્યક્તિ લોકોને સારી સારવાર અને સારું સ્વાસ્થ્ય આપવા માટે દિવસ-રાત કામ કરી રહી હતી, આજે તે સારા વ્યક્તિની હત્યા એક સરમુખત્યાર દ્વારા કરવામાં આવી છે. તે સરમુખત્યારનો એક જ વિચાર છે – દરેકને સમાપ્ત કરવા માટે, તે ફક્ત “હું” માં જ રહે છે. તે ફક્ત પોતાને જોવા માંગે છે. ભગવાન દરેકને જોઈ રહ્યા છે, તે દરેકને ન્યાય કરશે. સત્યેન્દ્ર જીના ઝડપથી સાજા થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ પ્રતિકૂળ સંજોગો સામે લડવાની શક્તિ આપે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સત્યેન્દ્ર જૈને SCનો દરવાજો ખખડાવ્યો હતો
સત્યેન્દ્ર જૈન છેલ્લા 1 વર્ષથી જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં જ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જૈને દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. SCમાં સુનાવણી દરમિયાન જૈન તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે સત્યેન્દ્ર જૈનને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, તેમનું વજન 35 કિલો ઘટી ગયું છે અને હવે તેઓ હાડપિંજર બની ગયા છે.

મીડિયા સાથે નહીં કરી શકે વાત
જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે અમે સ્વાસ્થ્યના આધારે છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપી રહ્યા છીએ. આ દરમિયાન તે પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી શકે છે. સત્યેન્દ્ર જૈન દિલ્હીની બહાર જઈ શકશે નહીં. 10મી જુલાઇએ કોર્ટમાં હેલ્થ રિપોર્ટ રજૂ કરશે. આગામી સુનાવણી 11 જુલાઈના રોજ થશે. કોઈપણ રીતે કોઈપણ વિષય પર મીડિયા સાથે કોઈ વાતચીત કે સંપર્ક નહીં કરે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT