‘અદાણીની કંપનીમાં 20 હજાર કરોડ કોના?’ સંસદ પદ જવા પર રાહુલ ગાંધીએ કહ્યું, સવાલ પૂછવાનું બંધ નહીં કરું

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સુરત કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સંસદમાંથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધી શનિવારે (25 માર્ચ) પ્રથમ વખત મીડિયા સામે દેખાયા હતા. તેમણે કહ્યું કે, ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, રોજ નવા નવા દાખલા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, મને મારો, જેલમાં નાખો, તેનાથી કોઈ ફરક નથી પડતો, હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું.

તેમણે કહ્યું કે, અદાણીજીની શેલ કંપની છે. તેમાં 20 હજાર કરોડ રૂપિયા કોઈએ રોકાણ કર્યું છે. અદાણીજીના પૈસા નથી, સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે. મેં સંસદમાં પુરાવા લઈને મીડિયા રિપોર્ટ્સ બહાર પાડ્યા. અદાણી અને મોદીજી વચ્ચેના સંબંધો વિશે વિગતવાર વાત કરી. આ સંબંધ નવો નથી, સંબંધ જૂનો છે. મેં આ વિશે પ્રશ્નો પૂછ્યા.

‘હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું’
રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું પ્રશ્નો પૂછવાનું બંધ કરીશ નહીં’ રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું કોઈ વાતથી ડરતો નથી, તમે મને જેલમાં નાખીને મને ડરાવી શકશો નહીં, આ મારો ઇતિહાસ નથી… હું ભારત માટે લડતો રહીશ. મને સંસદમાં બોલવા દેવામાં આવ્યો ન હતો, મેં સંસદના અધ્યક્ષને પત્ર પણ લખ્યો હતો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહોતો. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાંથી મારું ભાષણ હટાવી દેવામાં આવ્યું છે, પરંતુ હું સવાલો પૂછવાનું બંધ નહીં કરું.

આ પણ વાંચો

ADVERTISEMENT

ઓબીસી સમુદાયના અપમાનના આરોપો
પ્રધાનમંત્રી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજી મારા આગલા ભાષણથી ડરેલા છે, આખરે કોઈ અદાણીને મળેલા પૈસા પર જવાબ કેમ નથી આપી રહ્યું. રક્ષા મંત્રાલયે પણ આ વિશે સવાલ કરવો જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પૈસા કોના છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. જનતા સમજી ગઈ છે કે અદાણી ભ્રષ્ટાચારી છે, અને હવે લોકોના મનમાં સવાલ ઉઠ્યો છે કે ભારતના વડાપ્રધાન આ ભ્રષ્ટાચારીને કેમ બચાવી રહ્યા છે. ભાજપના લોકોએ કહ્યું કે અદાણી પર હુમલો દેશ પરનો હુમલો છે, તેમના મનમાં દેશ અદાણી છે અને અદાણી દેશ છે.

કયા કેસમાં સજા આપવામાં આવી?
સુરતની એક અદાલતે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની ‘મોદી અટક’ પર ટિપ્પણી બદલ 2019 માં દાખલ કરાયેલા માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, સુનાવણી દરમિયાન જ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે. 2019માં કર્ણાટકમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની સરનેમ (સરનેમ) મોદી કેમ છે?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT