‘આજે બધા એક્સપર્ટ એક સ્વરમાં કહે છે, આ સમય ભારતનો છે’, PM મોદી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

India Today Conclave 2023: શનિવારે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં તેમના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના લંડનમાં લોકશાહી પર રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેટલાક લોકો આપણી લોકશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓની સફળતાને પચાવી શકતા નથી, તેથી તેઓ આપણા લોકતંત્ર પર હુમલો કરે છે. જો કે, આ બધાની વચ્ચે પણ ભારત તેના લક્ષ્યો હાંસલ કરશે. તેમણે કહ્યું કે ભારત આજે જે કંઈ હાંસલ કરી રહ્યું છે તેની પાછળ આપણી લોકશાહીની શક્તિ છે, આપણી સંસ્થાઓની શક્તિ છે. દુનિયા આજે જોઈ રહી છે કે ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર નિર્ણાયક નિર્ણયો લઈ રહી છે.

કોંગ્રેસનું નામ લીધા વિના કર્યા પ્રહાર
કોંગ્રેસનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દેશ આત્મવિશ્વાસથી ભરેલો હોય, સંકલ્પથી ભરેલો હોય ત્યારે વિદેશ પણ, વિશ્વના વિદ્વાનો પણ ભારતને લઈને આશાવાન હોય ત્યારે ભારતની નીચું દેખાડવાની, ભારતનું મનોબળ તોડવાની વાતો થતી રહી છે. તેમણે કહ્યું કે, હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ જગ્યાએ શુભ થાય ત્યારે કાળું ટીલું લગાવવાની પરંપરા છે. આજે દેશમાં એટલું શુભ થઈ રહ્યું છે કે કેટલાક લોકોએ કાળું ટીલું લગાવવાની જવાબદારી ઉપાડી લીધી છે જેથી નજર ન લાગી જાય.’

9 વર્ષમાં સમાચારોની હેડલાઈન્સ બદલાઈ ગઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014 પહેલા હેડલાઈન્સ આવતી હતી કે આ સેક્ટરમાં આટલા લાખ કરોડનું કૌભાંડ છે. ભ્રષ્ટાચાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આજે હેડલાઇન શું છે? ભ્રષ્ટાચારના કેસોમાં કાર્યવાહીના કારણે ભ્રષ્ટાચારીઓ એકઠા થઈ ગયા અને રસ્તા પર આવી ગયા. મીડિયાએ અગાઉ કૌભાંડોના સમાચાર બતાવીને ઘણી ટીઆરપી ભેગી કરી છે. આજે મીડિયાને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરીને ટીઆરપી વધારવાની તક મળી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

‘ભારતમાંથી ચોરાયેલી પ્રાચીન મૂર્તિઓ પાછી આવી રહી છે’
તેમણે કહ્યું કે, આજકાલ દરેક દેશમાં એવી સ્પર્ધા ચાલી રહી છે કે ભારતમાંથી જે પ્રાચીન મૂર્તિઓ ચોરાઈ હતી તે જાતે જ આપણને પાછી આપી દે છે. કારણ કે તેમને વિશ્વાસ છે કે હવે તેનું સન્માન અહીં જ શક્ય છે. આ જ તો ક્ષણ છે. આવું એમ જ નથી થતું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT