'હું 5000 લોકોના મોતની જવાબદારી લઉં છું' નેપાળી PMએ સ્વીકાર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં થશે હાજર - ગુજરાત તક
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

‘હું 5000 લોકોના મોતની જવાબદારી લઉં છું’ નેપાળી PMએ સ્વીકાર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં થશે હાજર

કાઠમાંડું : જાન્યુઆરી 2020માં કાઠમંડુમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં નેપાળના વર્તમાન પીએમ પ્રચંડે 5000 નાગરિકોને મારવાની જવાબદારી લીધી હતી. આ નિવેદન બાદ હવે નેપાળના પીએમ પ્રચંડ વિરુદ્ધ બે અલગ-અલગ રિટ દાખલ કરવામાં આવી છે. આ મામલે નેપાળની SCએ વડા પ્રધાન પ્રચંડને 9મી માર્ચે સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થવા માટે વોરંટ જારી કર્યું છે.

દેશના વડાપ્રધાન પર જ ચાલી રહ્યો છે કેસ
નેપાળની સરકાર બન્યાને હજુ ઘણા દિવસો થયા નથી કે વડાપ્રધાનની સામે મુસીબતોના વાદળો છવાયેલા છે. એક તરફ પ્રચંડ સામે સરકારને બચાવવાનો પડકાર છે, તો બીજી તરફ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ સામે સામૂહિક હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ માઓવાદી પીડિત પક્ષ વતી કેટલાક વકીલોએ વડાપ્રધાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.પ્રચંડ વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ જ કોર્ટે 9 માર્ચે હાજર થવાની તારીખ પણ નક્કી કરી છે. નેપાળના પીએમ પ્રચંડ વિરુદ્ધ બે અલગ-અલગ રિટ દાખલ કરવામાં આવી છે. બંનેની સુનાવણી એકસાથે થશે તેવી માહિતી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન પ્રચંડને 9 માર્ચે સવારે 10 વાગ્યે સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા માટે વોરંટ પણ જારી કર્યું છે. અલગથી અરજીઓ દાખલ કરવામાં આવી છે.

games808

પ્રચંડે પોતે જ હત્યાકાંડનો સ્વિકાર કરી ચુક્યા છે
આ રિટ પર સુનાવણીની તારીખ ગુરુવારે નક્કી કરવામાં આવી છે. અરજીકર્તા કલ્યાણ બુધાથોકીએ કહ્યું કે પ્રચંડે પોતે જ જાહેરમાં પાંચ હજાર લોકોની હત્યાની જવાબદારી સ્વીકારી છે, તેથી તેમની સામે આ કેસ નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે લોકયુદ્ધના નામે પ્રચંડના આદેશ પર અનેક સામૂહિક હત્યાકાંડો કરવામાં આવ્યા હતા અને તે યુદ્ધના નિયમો વિરુદ્ધનું કૃત્ય હતું. અન્ય એક રિટ પિટિશનર જ્ઞાનેન્દ્ર રાજ અરણે કહ્યું હતું કે સંક્રમણકારી ન્યાયના મુદ્દાઓ ઉકેલવા માટે પણ વારંવાર સરકારનું ધ્યાન દોરવા છતાં કોઈ સુનાવણી ન થઈ ત્યારે મજબૂરીમાં ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં આવવું પડ્યું. તેવી જ રીતે એક અરજદારે કહ્યું કે પીડિતોને ન્યાય આપવા માટે પહેલ કરવામાં આવી છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે ધરપકડ અરજીને મંજૂરી આપી હતી
નેપાળની સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની ધરપકડની માંગ કરતી અરજી દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.આ નિવેદનને કારણે વડાપ્રધાન પ્રચંડ SCમાં હાજર થશે.એક જાહેર કાર્યક્રમમાં પ્રચંડે જવાબદારી લેવાની વાત કરી હતી. માઓવાદીઓ દ્વારા શરૂ કરાયેલા સશસ્ત્ર બળવા દરમિયાન માર્યા ગયેલા 17,000 નાગરિકોમાંથી 5,000 નાગરિકોની હત્યા. પીએમ પ્રચંડે 5,000 હત્યાઓની જવાબદારી લીધી છે. તેમના પર 17,000 લોકોની હત્યા કરવાનો આરોપ છે, જે જૂઠ છે. તેમણે કહ્યું હતું કે 12,000 નાગરિકોના મોત સરકારી એજન્સી અને તત્કાલીન શાસકોના કારણે થયા છે. પરંતુ તેનો દોષ પણ મારા પર નાખવામાં આવે છે જે યોગ્ય નથી. તેઓ માત્ર 5000 હત્યાઓની જવાબદારી લેવા તૈયાર છે. તે આનાથી પીછેહઠ કરશે નહીં અને તેની જવાબદારીમાંથી ભાગશે નહીં.આ મામલો લગભગ 17 વર્ષ જૂનો છે. જ્યારે નેપાળમાં 13 ફેબ્રુઆરી 1996ના રોજ બળવો શરૂ થયો હતો.

સરકાર સાથે શાંતિ કરાર બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો
સરકાર સાથેના વ્યાપક શાંતિ કરાર પછી 21 નવેમ્બર 2006ના રોજ બળવો સત્તાવાર રીતે સમાપ્ત થયો હતો. એક દાયકા સુધી ચાલેલા આ સંઘર્ષમાં હજારો લોકોના મોત થયા હતા.પ્રચંદર પર હજારોની હત્યા કરવાનો આરોપ છે.વાસ્તવમાં નેપાળમાં રાજાશાહી દરમિયાન માઓવાદી વિદ્રોહમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે માઓવાદીઓ હથિયારોના આધારે નેપાળની સત્તા પર કબજો કરવા માંગતા હતા. તે સમયે માઓવાદીઓની કમાન પ્રચંડના હાથમાં હતી. તે પુષ્પ કમલ દહલ પ્રચંડ હતા, જેમના એક ઈશારે હજારો લોકો માર્યા ગયા હતા.આ દરમિયાન ઘણા સરકારી અધિકારીઓ પર હુમલા થયા હતા અને સંપત્તિને પણ નુકસાન થયું હતું. બાદમાં જ્યારે આ સંઘર્ષ બંધ થઈ ગયો અને રાજાશાહી ખતમ થઈ ગઈ ત્યારે પ્રચંડે આ લડવૈયાઓને નેપાળની સેનામાં સામેલ કરવાની માંગ પણ કરી હતી.પ્રચંડે સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં પ્રચંડ સરકાર મુશ્કેલીમાં છે અને તેઓએ સંસદમાં ફ્લોર ટેસ્ટ પણ કરાવવો પડશે. આ સાથે તેમણે એક મહિનામાં બહુમત સાબિત કરવો પડશે. આ પહેલા પણ કેટલાક રાજકીય પક્ષોએ પ્રચંડ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.હાલમાં દેશમાં ત્રણ રાજકીય પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ કેબિનેટમાં 16 મંત્રી પદ ખાલી છે.

નીતા-મુકેશ અંબાણીની ઈવેન્ટમાં સેલેબ્સનો દબદબો, દિગ્ગજ કલાકારો રહ્યા હાજર જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા ‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ 1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન નેહા મલિકે ક્લીવેજને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ 4 વર્ષની બ્રેક બાદ કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો એક્સપીરિયંસ PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ… Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા 30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ