ગોધરાકાંડ ફિલ્મનું ટીઝર થયું રીલીઝ, જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
નવી દિલ્હી: ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ અકસ્માતના લગભગ…
ADVERTISEMENT

નવી દિલ્હી: ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ અકસ્માતના લગભગ 21 વર્ષ બાદ હવે તેના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું નામ ગોધરાઃ એક્સિડેન્ટ એન્ડ કોન્સ્પિરસી રાખવામાં આવ્યું છે અને તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મની જાહેરાતનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ સાચી ઘટનાઓ પર બની રહી છે. ટીઝરની શરૂઆત ટ્રેનના વિઝ્યુઅલથી થાય છે અને પછી તે ટ્રેનને આગ પકડતી બતાવે છે. ટીઝરમાં એક ફાઇલ પણ બતાવવામાં આવી છે, જેમાં નાણાવટી મેગાટા કમિશન લખ્યું છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી નથી.
નિર્માતાઓએ મોટા દાવા કર્યા
મેકર્સે ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે અને તેને બનાવતા પહેલા 5 વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. યુટ્યુબ પર ટીઝર શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે સંશોધન દરમિયાન ઘણા આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે, જેને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યા છે.તમે ભાગ્યે જ આ વિશે જાણતા હશો કે 2002ની આ ઘટનામાં સાબરમતી ટ્રેનની બોગી નંબર S6માં આગ લાગી હતી. અહેવાલો અનુસાર, ગોધરા સ્ટેશનથી ટ્રેન શરૂ થતાની સાથે જ ટ્રેનની ચેઈન ખેંચાઈ ગઈ અને ટ્રેન થંભી ગઈ. જે બાદ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી એક ડબ્બાને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટના પછી તોફાનો શરૂ થયા હતા અને કેટલાય લોકોના મોત થયા હતા. આ કેસમાં 31 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT