હિન્દુફોબિયા સામે USની જ્યોર્જિયા વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, કહ્યું- દુનિયાના સૌથી…

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ અમેરિકાની જયોર્જિયા વિધાનસભામાં હિન્દુફોબિયાની નીંદા કરતા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કરવા વાળો આ પહેલું અમેરિકી રાજ્ય બની ગયું છે. હિન્દુ ફોબિયા અને હિન્દુ-વિરોધી કટ્ટરતાની નિંદા કરતા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મ દુનિયાના સૌથી મોટા ને સૌથી જુના ધર્મોમાંથી એક છે. તેના 100થી વધુ દેશોમાં 1.2 બિલિયનથી વધુ અનુયાયીઓ છે. તેમાં સ્વીકૃતિ, આંતરિક સમ્માન અને શાંતિના મૂલ્યો સાથે વિવિધ પરંપરાઓ પણ શામેલ છે.

પ્રસ્તાવમાં શું કહેવામાં આવ્યું?
જ્યોર્જિયાના સૌથી મોટા હિન્દુ અને ભારતીય અમેરિકી સમુદાયોમાંથી એક એટલાંટાના ઉપનગરોમાં ફોર્સિથ કાઉંટીના પ્રતિનિધિઓ લોરેન મેકડોનલ્ડ અને ટોડ જોન્સ દ્વારા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આરોગ્ય, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, સૂચના પ્રદ્યોગિકી, નાણા, શિક્ષા, ઉર્જા, વેપાર જેવા વિવિધ ક્ષેત્રોાં અમેરિકી હિન્દુ સમુદાયનું ખાસ યોગદાન રહ્યું છે. પ્રસ્તાવમાં એવું પણ કહેવાયું કે યોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત, કલાના સમુદાયના યોગદાને સાંસ્કૃતિક તારોને સમૃદ્ધ કર્યા છે અને અમેરિકી સમાજમાં વ્યાપગ રુપથી અપનાવવામાં આવ્યા છે અને લાખો લોકોના જીવનને વધાર્યું છે.

સરકારે વધુ એક યોજનામાં આધાર-PAN ફરજિયાત કર્યા, આ તારીખ પછી ખાતું ફ્રીઝ થઈ જશે

હિન્દુ-અમેરિકનો સામે નફરતના કેસ નોંધાતા ચિંતા
આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના કેટલાક ભાગોમાં હિન્દુ-અમેરિકનો વિરુદ્ધ નફરતના અપરાધોના કેસ નોંધાયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુફોબિયાને કેટલાક શિક્ષણવિદો દ્વારા સંસ્થાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેઓ હિન્દુ ધર્મને નાબૂદ કરવાની હિમાયત કરે છે અને તેના પવિત્ર ગ્રંથોને દોષ આપે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

પ્રથમ હિન્દુ એડવોકેસી દિવસનું આયોજન
આ સંદર્ભમાં એક પગલું ઉત્તર અમેરિકાના હિન્દુઓના ગઠબંધનના એટલાન્ટા પ્રકરણ (CoHNA) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેણે જ્યોર્જિયા સ્ટેટ કેપિટોલમાં 22 માર્ચે આયોજિત પ્રથમ હિન્દુ એડવોકેસી દિવસનું આયોજન કર્યું હતું. તેમાં લગભગ 25 ધારાશાસ્ત્રીઓ (બંને રિપબ્લિકન અને ડેમોક્રેટ) દ્વારા તેની ચિંતાઓને અવાજ આપવા માટે હાજરી આપી હતી. CoHNAના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ મેનને જણાવ્યું હતું કે, “અમારી સાથે જોડાવાનું પસંદ કરતા ધારાશાસ્ત્રીઓ હિન્દુ સમુદાય પર તેઓનું મહત્વ દર્શાવે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT