Farmers Protest: હરિયાણાના કુરૂક્ષેત્રમાં ખેડૂતોએ હાઇવે ફરી જામ કર્યો, રાકેશ ટિકૈતે કરી માંગ
Farmer Protest Haryana: હરિયાણાના કુરુક્ષેત્રમાં ખેડૂતો એકવાર ફરીથી રસ્તા પર ઉતર્યા છે. સુરજમુખીના વીજ માટે એમએસપીની માંગ સાથે સોમવારે કુરુક્ષેત્રમાં મહાપંચાયત કર્યા બાદ ખેડૂતોએ ચંડીગઢ-દિલ્હી…
ADVERTISEMENT

Farmer Protest Haryana: હરિયાણાના કુરુક્ષેત્રમાં ખેડૂતો એકવાર ફરીથી રસ્તા પર ઉતર્યા છે. સુરજમુખીના વીજ માટે એમએસપીની માંગ સાથે સોમવારે કુરુક્ષેત્રમાં મહાપંચાયત કર્યા બાદ ખેડૂતોએ ચંડીગઢ-દિલ્હી નેશનલ હાઇવે પર જામ કરી દીધો હતો. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે હાઇવે પર જામ કર્યો છે. અમે તો માત્ર અહીં બેઠા છીએ. નેશનલ હાઇવેને અટકાવવો કોઇ પણ રીતે યોગ્ય નથી.
#WATCH | We have only two demands, release the farmers who were detained and start purchasing sunflower seeds at MSP. We are ready to hold discussions with the government: Farmer leader Rakesh Tikait in Haryana's Kurukshetra pic.twitter.com/nIsXzCNE3g
— ANI (@ANI) June 12, 2023
ટિકૈતે કહ્યું કે, અમારી માત્ર બે માંગણીઓ છે. કસ્ટડીમાં લેવાયેલા ખેડૂતોને છોડવામાં આવે. એમએસપી અંગે સુરજમુખીના બીજ ખરીદવાનું શરૂ કરવામાં આવે. અમે સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. આ અંગે હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો રાજનીતિક લાભ ઉઠાવવા માટે કેટલાક મુદ્દાઓને ફરીથી પુનર્જીવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કેન્દ્ર સતત સમાધઆન શોધવાના પ્રયાસો કરી રહ્યું છે. કોઇ પણ મુદ્દે વાતચીતથી જ સમગ્ર મામલાનો ઉકેલ આવી શકે છે.
ADVERTISEMENT
#WATCH | We are not blocking the highway. It is not right, highways should not be blocked: Farmer leader Rakesh Tikait in Haryana's Kurukshetra pic.twitter.com/6XjMLzeRBu
— ANI (@ANI) June 12, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મંગળવારે ખેડૂતોએ કુરુક્ષેત્રમાં ચંડીગઢ-નેશનલ હાઇવેને જામ કરી દીધા હતા. આ દરમિયાન ખેડૂતોને તિતર બિતર કરવા માટે પોલીસે વોટર કેનનો પ્રયોગ કર્યો હતો. ખેડૂતો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રદર્શન બાદ ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ગુરનામ સિંહ સહિત અનેક ખેડૂતોની ધરપકડ કરી હતી. જેમને 14 દિવસની ન્યાયીક હિરાસતમાં મોકલી દેવાયા હતા. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, સરકાર એમએસપી અંગે સુરજમુખી બીજની ખરીદી નથી કરી રહી. જેના કારણે ખેડૂતોએ પોતાની ઉપજ ખાનગી કંપનીઓને 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચવી પડી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT