ચૂંટણીના જાદુગર અશોક ગહલોતે વિધાનસભા ચૂંટણી પહેલા કર્યો મોટો ખેલ, 19 નવા જિલ્લા જાહેર કર્યા

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે. ત્રણ નવા વિભાગો બનાવવામાં આવ્યા છે. હવે રાજસ્થાનમાં 52 જિલ્લા હશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવામાં આવ્યા છે. ત્રણ નવા વિભાગો બનાવવામાં આવ્યા છે. હવે રાજસ્થાનમાં 52 જિલ્લા હશે.

સરકાર નવા બનેલા જિલ્લાઓને 2 હજાર કરોડના ખર્ચે વિકસાવશે
સરકાર 2 હજાર કરોડથી નવા બનેલા જિલ્લાઓનો વિકાસ કરશે. રાજસ્થાન ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે અનેક વિધાનસભા ક્ષેત્રોમાં પણ ચૂંટણીના સમીકરણમાં બદલાવ જોવા મળી શકે છે. વિધાનસભામાં બોલતા સીએમ ગેહલોતે કહ્યું કે, અમને રાજ્યમાં કેટલાક નવા જિલ્લાઓની રચનાની માંગણીઓ મળી છે. અમે આ દરખાસ્તોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી અને અમને અંતિમ અહેવાલ મળ્યો છે. હું હવે રાજ્યમાં નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરું છું.

રાજસ્થાનમાં બનેલા આ નવા જિલ્લા
 સીએમ ગેહલોતે વિધાનસભામાં જાહેર કરેલા 19 નવા જિલ્લાઓમાં અનુપગઢ, બલોત્રા, બ્યાવર, ડીગ, ડુડુ, જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ, ગંગાપુર શહેર, કેકરી, કોટપુતલી, બેહરોર, ખૈરતાલ, નીમકથાણા, સાંચોર, ફલોદી, સાલુમ્બર, શાહપુરા. 367 ગામોને પીવાનું પાણી આપવા માટે રૂ. 362.13 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વિધાનસભામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે રાજસ્થાન સરકાર 367 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવા રૂ. 362.13 કરોડનો ખર્ચ કરશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અશોક ગહલોતે સિંચાઇ ઉપર આપ્યું વધારે ધ્યાન
ઉદયપુર જિલ્લો ખર્ચ કરશે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સોમ-કમલા-આંબા ડેમમાંથી આ ગામોને પીવાનું પાણી પહોંચાડવાના પ્રોજેક્ટની નાણાકીય દરખાસ્તને મંજૂરી આપી છે. 2023-24ના બજેટમાં ગેહલોતની જાહેરાતના અનુપાલનમાં નાણાકીય મંજૂરી આપવામાં આવી હતી. સિંચાઈની કાર્યક્ષમતા વધારવા માટે રૂ. 37 કરોડ મંજૂર કરાયા હતા. પ્રોજેક્ટ હેઠળ, બાંસવાડા જિલ્લામાં કાગદી ડેમનું રૂ. 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. અન્ય રૂ. 11.73 કરોડનો ઉપયોગ જયપુરના કાલવાડ તાલુકામાં ગજાધરપુરા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કાલાખ ડેમ સુધી કેનાલને લાઇન કરવા માટે કરવામાં આવશે, એમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ કાર્યક્ષમતામાં સુધારો કરશે અને પાણીનો બગાડ ઘટાડશે. ગેહલોતે 2022-23ના બજેટમાં ડેમ અને નહેરોના નવીનીકરણ માટે રૂ. 800 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમાંથી 611.95 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT