Chandrayaan-3 નું પ્રજ્ઞાન રોવર નથી છોડી રહ્યું છાપ, ISRO દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા

ADVERTISEMENT

Pragyaan rover
Pragyaan rover
social share
google news

નવી દિલ્હી : 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ના લેન્ડિંગ બાદ રોવરે ચંદ્ર પર અલગ અલગ સ્થળો પર સંશોધન શરૂ કર્યું હતું. રોવર જ્યાં જ્યાં ફર્યું ત્યાં ત્યાં ચંદ્રની જમીન પર અશોક સ્તંભના ચિન્હોની છાપ છોડી રહ્યાનો દાવો ઇસરો દ્વારા કરાયો હતો. પ્રજ્ઞાનના પૈડા પર જ અશોક સ્તંભ છે અને તેની છાપ ચંદ્રની સપાટી પર પડશે. જો કે હવે આ મામલે એક નવો ટ્વીસ્ટ આવ્યો છે.

ISRO એ કહ્યું લોગો યોગ્ય રીતે નથી છપાઇ રહ્યા

ઇસરોએ જણાવ્યું છે કે, ચંદ્રની ધરતી પર ઇસરોનો લોગો અને અશોક ચક્રની તસ્વીર સ્પષ્ટ રીતે છપાઇ નથી રહી. જો કે ઇસરો તેને સારા સમાચાર ગણાવી રહ્યું છે. દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ચંદ્રની જમીનના ગુણધર્મો સમજવા માટેના નવા સંકેતો આપી રહ્યું છે. ઇસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું કે, વાત સાચી છે કે, લોગો સ્પષ્ટ રીતે છપાઇ નથી રહ્યા. આપણે પહેલાથી જ જાણીએ છીએ કે, તે માટી અલગ છે, પરંતુ આપણે તે શોધવી પડશે. આખરે એવી કઇ વસ્તું છે જેના કારણે તે શોધ ચંદ્રની માટી ધુળવાળી નહી પણ ખુંધ જેવી છે. તેનો અર્થ એવો છે કે કંઇક જમીનને બાંધી રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે તે વાતનો અભ્યાસ કરવો જરૂરી છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનને કઇ વસ્તુ બાંધી રહી છે. ઇસરો સેટેલાઇટ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટ એસ્ટાબલિશમેન્ટ દ્વારા બનાવાયેલા ચંદ્રની માટીના સિમ્યુલેશન પર તસવીરોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પ્રજ્ઞાન અને વિક્રમ સાથે ક્યારેક સંપર્ક નહી

સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન અને વિક્રમ સાથે ક્યારેક સંપર્ક સ્થાપિત થશે તે નક્કી નથી. ઇસરો ચીફે જણાવ્યું કે, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે વાતચીત માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેની જાગવાની સ્થિતિ જાણી શકાય પરંતુ હજી સુધી તેના તરફથી કોઇ સંકેતો મળી નથી રહ્યા. તેની સાથે સંપર્કો સ્થાપિત કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

ADVERTISEMENT

ચાર દિવસ બાદ પણ વિક્રમ અને રોવર નિષ્ક્રિય

ચંદ્ર પર સુર્યોદય થયાને ત્રણ દિવસ વીતી ચુક્યા છે. જો કે હજી સુધી ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરમાં કોઇ સંચાર નથી. બંન્ને હજી પણ સ્લીપ મોડમાં છે. અપેક્ષા છે કે શુક્રવાર સુધીમાં જાગી જશે. ચંદ્ર પર રાત હોવાને કારણે આ મહિનાની શરૂઆતથી જ બંન્ને સ્લીપ મોડ પર જતા રહ્યા હતા. ત્યાર બાદ એક ચમત્કારની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જો કે ચંદ્ર પર સુર્યપ્રકાશથી ફરી બંન્ને ચાર્જ થશે અને સિગ્નલ મોકલવાની શરૂઆત કરે તેવી અપેક્ષા રખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રની સપાટી પર સુર્યાસ્ત થયા બાદ 200 થી 250 ડિગ્રી માઇનસ તાપમાન થઇ જાય છે. તેવામાં કેટલાક પાર્ટ્સ ખરાબ થાય તેવી શક્યતા છે.

    follow whatsapp

    ADVERTISEMENT