શું 2029થી એક સાથે યોજાશે તમામ ચૂંટણી? રામનાથ કોવિંદ સમિતિએ આપ્યા આ 5 મોટા સૂચનો

ADVERTISEMENT

One Nation One Election
શું 2029થી એક સાથે યોજાશે તમામ ચૂંટણી?
social share
google news

One Nation One Election Committee recommendation: પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 'વન નેશન, વન ઈલેક્શન' પર આજે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુલામ નબી આઝાદ સહિત સમિતિના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. સમિતિએ પોતાના રિપોર્ટમાં 5 સૂચનો આપ્યા છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

વન નેશન વન ઇલેક્શનને કેટલા પક્ષોએ આપ્યું સમર્થન?

કોવિંદ સમિતિના સૂચનો વિશે જાણતા પહેલા એ જાણી લઈએ કે કયા પક્ષએ વન નેશન વન ઈલેક્શન  (One Nation One Election)ને  સમર્થન આપ્યું છે. સમિતિએ 47 પક્ષોનો અભિપ્રાય લીધો હતો, જેમાંથી 32 પક્ષો એકસાથે ચૂંટણી કરાવવાના પક્ષમાં છે, જ્યારે 15 પક્ષો આના વિરોધમાં છે. સમર્થક પક્ષોમાં ભાજપ, અપના દળ અને એઆઈડીએમકેનો સમાવેશ થાય છે, જ્યારે વિરોધી પક્ષોમાં કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી અને એનસીપીનો સમાવેશ થાય છે. 

સમિતિએ કયા 5 સૂચનો આપ્યા?

1. દેશને આઝાદી મળ્યા બાદ દર 10 વર્ષે બે ચૂંટણીઓ યોજાતી હતી, પરંતુ બાદમાં દર વર્ષે ચૂંટણીઓ થવા લાગી. જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થયું. તેથી અમે સૂચવીએ છીએ કે દેશમાં એક સાથે ચૂંટણીની વ્યવસ્થા સ્થાપિત થવી જોઈએ. એક સાથે ચૂંટણી ન યોજવાથી અર્થવ્યવસ્થા, રાજકારણ અને સમાજ પર હાનિકારક પ્રભાવ પડ્યો છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

2. સમિતિ સૂચન આપ્યું છે કે, પ્રથમ તબક્કામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવી જોઈએ. સાથે જ તેના 100 દિવસ બાદ  બીજા તબક્કામાં નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ યોજવી જોઈએ. 

3. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના હેતુ માટે, સમિતિ ભલામણ કરે છે કે ભારતના રાષ્ટ્રપતિ, સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની તારીખ જાહેર કરી શકે છે. ચૂંટણી પંચ આ કલમની જોગવાઈઓને અસર કરશે અને સૂચનાની તારીખને નિયત તારીખ કહેવાશે.

ADVERTISEMENT

4. આ સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે લોકસભા, વિધાનસભા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ માટે એક સમાન મતદાર યાદી અને ઓળખ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે કલમ 325માં સુધારો કરી શકાય છે. 

ADVERTISEMENT

5. સમિતિએ એવી પણ ભલામણ કરી કે આ હેતુ માટે એક અમલીકરણ જૂથની રચના કરી શકાય છે, જે સમિતિ દ્વારા આપવામાં આવેલી ભલામણોના અમલીકરણ પર ધ્યાન આપશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT