ગાંધીનગરમાં લાગેલ આગ પર મનોજ સોરઠિયાએ ઉઠાવ્યા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ગાંધીનગરમાં જુના સચિવાલયમાં લાગેલી આગ બાબતે કહ્યું કે, ગાંધીનગરના જુના સચિવાલયના બ્લોક નં ૧૬ના બીજે માળે આગ લાગી હતી. આ આગને કાબુમાં કરવા માટે 4  કલાક જેટલો સમય લાગ્યો અને મોટા પ્રમાણમાં સરકારી ફાઈલો બળીને ખાખ થઈ ગઈ. કાલે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગ્યું કે કોઈ કુદરતી ઘટના હશે. પરંતુ સચિવાલયમાં કામ કરતા એક સુત્ર પાસેથી માહિતી મળી છે કે આ ઘટના સામાન્ય નથી. ગામડાના વિકાસના નામે કરોડો રુપિયા ચાંવ કરી જવાનું ષડયંત્ર થયું છે

કરોડો રુપિયા ચાંવ કરવાનું ષડયંત્ર
જ્યાં આગ લાગી છે ત્યાં ગ્રામ્ય વિકાસ કમિશ્નરની ઓફિસ હતી અને તેમાં મોટા પ્રમાણમાં રુરલ ડેવલોપમેન્ટની ફાઈલો હતી. એક RTI એક્ટિવિસ્ટએ આમ આદમી પાર્ટીને જણાવ્યું છે કે, ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં જમીન પર કોઈ કામ થયા નથી પરંતુ સરકારી ફાઇલોમાં કામ પૂર્ણ થઈ ગયા છે. અને આ પેપર પર થયેલા કામોની ફાઇલો આ વિભાગમાં હતી. આનો મતલબ છે કે ગામડાના વિકાસના નામે કરોડો રુપિયા ચાંવ કરી જવાનું ષડયંત્ર થયું છે અને આ ભ્રષ્ટાચાર બહાર ન આવે એ માટે ફાઈલો સળગાવવામાં આવી છે.

જનતા હિસાબ મનગી રહી છે
આજે સમજાવ્યું કે ગોપાલ ઈટાલિયાના વિડીયોના વિવાદ સર્જીને કોઈનું ધ્યાન ન પડે તેવી રીતે આ ફાઈલો સળગાવવામાં આવી છે. ભાજપના નેતાઓને ખબર છે કે જનતા આ વખતે માફ કરવાની નથી અને પાછી સરકાર બનવાની નથી એટલે આ આગ ભાજપના પાપ છુપાવવા માટે લગાવવામાં આવી છે. ભાજપની જે ગૌરવ યાત્રા ચાલી રહી છે તેમાં પણ જનતા 27 વર્ષનો હિસાબ માંગી રહી છે. મોરબી અને બીજી પણ અનેક જગ્યાએ ગૌરવ યાત્રા નો જાહેરમાં વિરોધ થઈ રહ્યો છે. ગૌરવ લેવાના નામે ભાજપના નેતાઓ જે તાયફાઓ કરી રહ્યા છે તે પહેલા જવાબ આપે કે જે ફાઈલો સળગાવી છે તે ફાઈલોમાં શું હતું?

ADVERTISEMENT

27 વર્ષના શાસનનો હિસાબ નહી આપી શકતા
ગામડાઓમાં દુર દુર સુધી વિકાસ દેખાતો નથી અને પૈસા વપરાઈ જાય છે ત્યારે આજે ખબર પડી કે આ તમામ પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જઈ રહ્યા છે. ભાજપે ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે અને ભ્રષ્ટાચારના સબુત રફે દફે કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 27 વર્ષના શાસનનો હિસાબ નહી આપી શકતા પાટીલ સાહેબને કહેવા માગું છું કે હિંમત હોય તો આ ઘટનાની હકીકત સામે લાવો અને જનતાને જણાવો કે આ બળી ગયેલી ફાઈલોમાં શું માહિતી હતી? આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં લાગેલ આગ પર મનોજ સોરઠિયાએ સવાલ ઉઠાવી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT