બાગેશ્વર ધામમાં પિસ્તોલ સાથે વિધર્મી યુવક ઝડપાયો, સરકારે ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા વધારી

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભોપાલ: છતરપુરના બાગેશ્વર ધામમાં પોલીસે દેશી બનાવટના કટ્ટા અને જીવતા કારતુસ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. 18 જૂને પરિક્રમા માર્ગ પર કેટલાક શ્રદ્ધાળુઓને આરોપી પર શંકા ગઈ. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મંગળવારે આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઘટના બાદ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

એસપી અમિત સાંઘીએ જણાવ્યું કે આરોપી રજ્જન ખાન (44) ચોરીના ઈરાદાથી બાગેશ્વર ધામમાં પ્રવેશ્યો હતો. તે ઈન્દ્રપુરી કોલોની વોર્ડ 28 શિવપુરીનો રહેવાસી છે. તેની પાસેથી 315 બોરની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે તેની સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો છે. આ પહેલા પણ તેની સામે ચોરીના કેસ નોંધાયેલા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી
મધ્યપ્રદેશ સરકારે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. આ આદેશ મધ્યપ્રદેશના કાયદો અને વ્યવસ્થા સુરક્ષાના આઈજી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેની નકલ તેણે અન્ય રાજ્યોના પોલીસ વિભાગને પણ મોકલી છે. Y કેટેગરીની સુરક્ષામાં 11 સુરક્ષાકર્મીઓ સામેલ છે. તેની પાસે બે PSO (ખાનગી સુરક્ષા ગાર્ડ) પણ છે. કમાન્ડો આ શ્રેણીમાં પોસ્ટ કરવામાં આવતા નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

મળી ચૂકી છે ધમકી
પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને થોડા સમય પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. આવી સ્થિતિમાં હવે તેમને સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા મળી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુત્વની વાતને લઈ સતત ચર્ચામાં છે. આ દરમિયાન તે લોકોના મનની વાત પણ જાણી શકે છે તેવો દાવો કરવાંમાં આવી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT