જાહેરમાં પશુઓને ઘાસચારો વેચનારાઓ સામે તંત્રની લાલ આંખ, પોલીસ કમિશનરની મોટી જાહેરાત
અમદાવાદઃ શહેરમાં માર્ગ વચ્ચે રખડતા ઢોરના ત્રાસથી લોકો હાલાકીમાં મુકાયા છે. તેવામાં હવે જાહેર માર્ગો પર ઘાંસચારો વેચનારાઓ સામે પણ તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે.…
ADVERTISEMENT

અમદાવાદઃ શહેરમાં માર્ગ વચ્ચે રખડતા ઢોરના ત્રાસથી લોકો હાલાકીમાં મુકાયા છે. તેવામાં હવે જાહેર માર્ગો પર ઘાંસચારો વેચનારાઓ સામે પણ તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. પોલીસ કમિશનર શ્રીવાસ્તવે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે કોર્પોરેશને છેલ્લા ત્રણ દિવસથી કવાયત હાથ ધરી દીધી છે. તેવામાં આ પ્રજાની મુશ્કેલીને દૂર કરવા માટે મોટો નિર્ણય હોઈ શકે છે. નોંધનીય છે કે ACPને પણ આ સમગ્ર કામગીરી પર ચાપતી નજર રાખવા ટકોર કરાઈ છે.
કમિશનરનું આકરુ વલણ
અમદાવાદમાં જાહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે કમિશનરે નવો પ્લાન બનાવ્યો છે. તેમણે ઠેર-ઠેર રખડતા પશુઓને પકડવા માટે જે કવાયત હાથ ધરાઈ છે તેના પર પોલીસની ટુકડીઓને મદદ કરવા અપિલ કરી છે. એટલું જ નહીં ACPને પણ આ સમગ્ર મિશન પર ચાપતી નજર રાખવા ટકોર કરી છે. આની સાથે જ જાહેર માર્ગો પર ઘાંસચારો વેચનારાઓ સામે પણ કડક વલણ કરવા ટકોર કરાઈ છે.
1 સપ્તાહ સુધી ચાલશે આ ઝુંબેશ
હાઈકોર્ટે તો રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાનો પણ આદેશ કર્યા છે. તેવામાં હવે 26 સપ્ટેમ્બરથી 1 ઓગસ્ટ સુધી ઘાસચારો જાહેર માર્ગો પર વેચનારા સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. નોંધનીય છે કે આ ઝુંબેશ દરમિયાન 1 સપ્તાહ સુધી ચાલશે.
ADVERTISEMENT

અમદાવાદ મ્યુનિ.ને 3 દિવસ ઢોર પકડવા હાઇકોર્ટનો આદેશ
નોંધનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા પર ગઈકાલે જ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કામ ન કરતા લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બીજી તરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો પણ ઉધડો લેતા 3 દિવસ સતત 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે અમદાવાદમાં 3 નવા ઢોરવાડા બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રખડતા ઢોરને ઢોરવાડામાં મૂકી શકાશે
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે જ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 8 મહાનગરો અને 56 નગરપાલિકાઓમાં રોડ પર પશુ છોડી મૂકવામાં આવે છે, આ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો તેઓ મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓને મૂકી શકશે. આ માટે પશુપાલકો માટે વિનામૂલ્યે ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT