Amreli ભાજપમાં ટિકિટને લઈને મારામારી!, દિલ્હીના દરબારમાં પહોંચ્યો વિવાદ

ADVERTISEMENT

Amreli Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

social share
google news

Amreli Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાતા જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે અને ઉમેદવારોને બદલવાની માંગ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક ગણાતી અમરેલી બેઠક પર ભાજપે આ વખતે વર્તમાન સાંસદ નારણ કાછડીયાની ટિકિટ કાપી નાખી છે. ભાજપે તેમની જગ્યાએ ભરત સુતરીયાને ટિકિટ આપી છે. જેથી અમરેલી ભાજપમાં જૂથવાદ સર્જાયો છે. ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકરો ભરત સુતરીયાને બદલવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે આ મામલે ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. 
 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT