ગુજરાતમાં માત્ર 3 મહિનામાં સ્વાઈન ફ્લૂના રેકોર્ડ બ્રેક કેસ, અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ

ADVERTISEMENT

સ્વાઈન ફ્લૂ વાયરસ શું છે?
સ્વાઈન ફ્લૂ વાયરસ શું છે?
social share
google news

Swineflu Case: રાજ્યમાં હાલ આમ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં રાજ્યમાં સ્વાઈનફ્લૂના કેસમાં પણ જોરદાર વધારો થયો છે. સ્વાઈનફ્લૂના કેસ મામલે દેશમાં ગુજરાત ચોથા સ્થાને છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં 380 કેસ નોંધાયા છે જેમાં 15 લોકોના મોત  નિપજ્યાં  છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં સ્વાઈન ફ્લુની 630 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અચાનક સ્વાઈનફ્લૂના કેસ વધતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.       

બે સપ્તાહમાં  વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર કેસ નોંધાયા

ગરમીની શરૂઆત થતાં જ  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર 20 કેસ નોંધાયા છે. બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં વધારો થયેલો જોવા મળે છે.  

સ્વાઈન ફ્લૂ વાયરસ શું છે?                                                                                          

સ્વાઈન ફ્લૂ વાયરસ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. આ વાયરસ  H1N1થી થાય છે. ર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ વાયરસ ક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝાથી ફેલાય છે. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે ખતરનાક છે. જોકે સ્વાઈન ફ્લૂના દર્દીઓની પ્રાથમિક કક્ષાએ સારવાર શક્ય છે. જો બેદરકારી રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT