AAP સર્વેમાં નહી સીધી સરકારમાં જ આવે છે: ભગવંત માન

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ : શહેરના સોજીત્રામાં પંજાબના મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો. ભગવંત માનના રોડ શોમા મોટી સંખ્યામા જનતાની ભીડ ઉમટી હતી. તો બોરસદમાં પણ રોડ શૉ બાદ જનસભા સંબોધી રહ્યા હતા, દરમ્યાન અજાન શરૂ થતા ભગવંત માને ભાષણ અધવચ્ચે અટકાવી દીધુ. બાદમા સરદારની પ્રતિમાને હાર પહેરાવ્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા.

સોજીત્રામાં હાજર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ- કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
સોજીત્રામા રોડ શૉમાં ઉપસ્થિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટી સર્વેમાં નથી આવતી સીધી સરકારમાં આવે છે. સારી શાળાઓ હોસ્પિટલ માટે આપ આદમી પાર્ટીને મત આપો. ગુજરાતમાં પેપર લીક થાય છે. ભ્રષ્ટાચાર થાય છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો પેપર લીક બંધ થશે. 27 વર્ષ પછી ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટીમાં ઉમ્મીદની કિરણ નજર આવી છે. કૉંગ્રેસને પૈસા આપીને લોકોની ભીડ એકત્ર કરવી પડે છે. આપનું એક પગલું પરિવર્તન લાવશે. અંગ્રેજોએ 200 વર્ષમાં દેશને જેટલો નથી લૂંટયો તેટલો આ લોકોએ લૂંટયો છે .ગમે તેટલા હીરા મોતી એકત્ર કરી લો પણ યાદ રાખજો કફનમાં ખિસ્સું નથી હોતું.

સોજીત્રા વિધાનસભા બેઠક ખુબ જ નજીવા મતથી જીતી હતી
મહત્વનુ છે કે, સોજીત્રા વિધાનસભા બેઠક કોંગ્રેસ માત્ર નજીવા મતોથી જીતે છે. આ વખતે ભાજપ આ બેઠક જીતવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યુ છે. એવામાં આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ શૉમાં મોટી સંખ્યામા જનમેદની ઉમટી હતી. તેને જોતા સોજીત્રા બેઠક પર ત્રણેય પક્ષો માટે મત મેળવવા માટે રસાકસીનો સામનો કરવો પડી શકે છે. એવામાં સોજીત્રા બેઠક કોના ફાળે જાય છે તે તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT