ભાજપના કાર્યકરોને ક્ષત્રિયોએ ભગાડ્યા, પ્રચાર કરવા ગયેલા નેતાજીને ગ્રામજનોએ ગામની બહાર કાઢ્યા

ADVERTISEMENT

ભાજપના કાર્યકરોને ક્ષત્રિયોએ ભગાડ્યા
Bharuch Lok Sabha Election
social share
google news

Bharuch Lok Sabha Election: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના ચાલી રહેલા આંદોલનના પડઘા દૂર-દૂર સુધી પડ્યા છે. પરસોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં રાજા-રજવાડાઓ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિયો લાલઘુમ થઈ ગયા છે.  રૂપાલાના ટિકિટ રદ ન થતા હવે ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યના કેટલાક ગામડાઓમાં તો 'કોઈ ભાજપ નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં' તેવા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. તો ભાજપના કાર્યક્રમોમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઠેર-ઠેર ભાજપનો વિરોધ 

ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ તેમને હરાવવા મેદાને પડ્યો છે. ક્ષત્રિય સમાજનો ધર્મરથ સમગ્ર ગુજરાતમાં ફર્યો હતો અને આ ધર્મરથ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવાના ક્ષત્રિયોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે અંકલેશ્વરના ગામડામાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું સામે આવ્યું છે. 

ભાજપના કાર્યકરોને ક્ષત્રિય સમાજના લોકોએ ભગાડ્યા

હકીકતમાં અંકલેશ્વરના નવા પુન ગામે ભાજપના કાર્યકરો પ્રચાર કરવા માટે ગયા હતા, આ દરમિયાન ગ્રામજનોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકોરને ક્ષત્રિય સમાજના લોકોએ ગામની બહાર જવાનું કહ્યું હતું. આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. નવા પુન ગામના લોકો ભાજપના કાર્યકરોને ગામની બહાર સુધી મૂકવા ગયા હતા. 

ADVERTISEMENT

ઈનપુટઃ ગૌતમ ડોડીયા, અંકલેશ્વર


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    બે કાશ્મીરી પંડિત, એક મહિલાને ટિકિટ; ભાજપે જમ્મુ કાશ્મીર માટે 15 ઉમેદવારોની યાદી કરી જાહેર

    બે કાશ્મીરી પંડિત, એક મહિલાને ટિકિટ; ભાજપે જમ્મુ કાશ્મીર માટે 15 ઉમેદવારોની યાદી કરી જાહેર

    RECOMMENDED
    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    RECOMMENDED
    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    RECOMMENDED
    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    MOST READ
    Women's T20 WC: BCCIએ વર્લ્ડકપ ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરોને મળી જગ્યા

    Women's T20 WC: BCCIએ વર્લ્ડકપ ટીમની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરોને મળી જગ્યા

    RECOMMENDED
    હવે કોણ બનશે BCCIના નવા સચિવ? જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ આ નામો સામે આવ્યા

    હવે કોણ બનશે BCCIના નવા સચિવ? જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ આ નામો સામે આવ્યા

    RECOMMENDED
    ઊંટ મર્યા બાદ બની જાય છે 'બોમ્બ', નજીક જવાથી થઈ શકે છે મોત

    ઊંટ મર્યા બાદ બની જાય છે 'બોમ્બ', નજીક જવાથી થઈ શકે છે મોત

    RECOMMENDED
    Gujarat Rain:  યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! ભારે વરસાદને પગલે 2 કે 4 નહીં 40થી વધુ ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

    Gujarat Rain: યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! ભારે વરસાદને પગલે 2 કે 4 નહીં 40થી વધુ ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

    RECOMMENDED
    સપ્ટેમ્બર મહિનો પ્રેમ કરનારા લોકો માટે કેવો રહેશે? વાંચો લવ માસિક રાશિફળ

    સપ્ટેમ્બર મહિનો પ્રેમ કરનારા લોકો માટે કેવો રહેશે? વાંચો લવ માસિક રાશિફળ

    RECOMMENDED
    UPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખાસ, પરીક્ષાનું Revised શિડ્યુલ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

    UPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખાસ, પરીક્ષાનું Revised શિડ્યુલ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

    RECOMMENDED