Big Breaking: Chaitar Vasava ને હાઈકોર્ટમાંથી મોટી રાહત, આ તારીખ સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે

ADVERTISEMENT

Chaitar Vasava
ચૈતર વસાવા શરતી જામીન પર બહાર
social share
google news

AAP MLA Chaitar Vasava: રાજ્યમાં લોકસભાની ચૂંટણીને રાજકીય રંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે અને નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યો હતો. જોકે, લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પ્રચાર માટે મંજૂરી માંગી હતી જેને રાજપીપળાની સેશન્સ કોર્ટે ફગાવી હતી. જેમાં હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી છે અને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે આપી મંજૂરી છે.

ચૈતર વસાવા શરતી જામીન પર બહાર

ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની સરતે જામીન આપવામાં આવ્યા હતા જે ચુકાદાને હાઈકોર્ટે પડકર્યો છે અને  નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે આપી મંજૂરી છે. લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર કરી રહ્યા છે, પણ કોર્ટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે જામીન આપ્યા હતા. દેડિયાપાડા વિધાનસભા બેઠક નર્મદા જિલ્લામાં આવતી હોવાથી ત્યાં પ્રચાર કરવો જરૂરી હોવાથી ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની મંજૂરી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.  

ભાવનગરમાં રૂપાલાનો ભારે વિરોધ, ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે ચાલુ સભાએ આપ્યું રાજીનામું


કોણ છે ચૈતર વસાવા?


– ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે
– ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી.
– આ ચૂંટણીમાં ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યા છે.
-ભરૂચથી લોકસભા AAP-કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર છે

આ પણ વાંચો

ADVERTISEMENT

રામલલાના કપાળ પર 4 મિનિટ સુધી થશે સૂર્ય અભિષેક, આવતીકાલે અયોધ્યામાં જોવા મળશે અદ્ભુત નજારો

    follow whatsapp

    ADVERTISEMENT