અમી છાંટણા સાથે મેઘરાજાએ અમદાવાદમાં નગરનાથને વધાવ્યા: Rath Yatra 2023, Videos

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા ભારે મેદની ઉમટી છે ત્યારે. આજે અમી છાંટણા કરીને મેઘરાજાએ રથયાત્રાનો વધાવો કર્યો હતો. અમદાવાદમાં અખાડા અને વાજતે ગાજતે ભગવાન લોકોને દર્શન આપવા નીકળ્યા છે ત્યારે પોલીસ સુરક્ષા પણ ભારે સધન બનાવાઈ છે. દરમિયાનમાં ગજરાજની સાથે સાથે ચાલી રહેલી રથયાત્રા ક્યારે સરસપુર પહોંચશે તેની આતુરતા વચ્ચે સરસપુર મામાના ઘરે તૈયારીઓ કરી દેવાઈ છે.

UNમાં યોગ, બાઈડેન સાથે ડિનર.. આ રીતે ખાસ રહેશે PM મોદીનો અમેરિકા પ્રવાસ

આ તરફ અમદાવાદમાં નગરચર્યા પર નીકળેલા રથો પર અમી છાંટણા કરીને મેઘરાજાએ ફરી હાજરી નોંધાવી હતી. અમદાવાદમાં હવામાન અચાનક વાદળ છવાયેલું બન્યું હતું. આમ પણ હવામાન નિષ્ણાંતોએ આજે બપોરે 2થી 6ના સમય દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT