ઓપરેશન 'આરોહી' બચાવોઃ અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરમાં પડી, સાંસદ-ધારાસભ્ય મદદે પહોંચ્યા

ADVERTISEMENT

ઓપરેશન 'આરોહી' બચાવો
Amreli News
social share
google news

Amreli News: અમરેલી જિલ્લામાં વાડીના બોરમાં બાળકી પડી જતાં ખળભળાટ મચી જવા પામી છે. દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતાં સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવિયા (Janak Talaviya Lathi), લાઠી પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. તો અમરેલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ બાળકીને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજુલાથી યંત્ર રોબોટની ટીમ બોલાવવામાં આવી છે. તો આજુબાજુના ગામના લોકો બાળકી સુરક્ષિત બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

રમતા-રમતા બોરમાં પડી આરોહી

મળતી માહિતી અનુસાર, અમરેલીના સુરગપરા ગામની સીમમાં આવેલી ભનુભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરમાં પડી ગઈ છે, આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં સુરગપરા ગામના લોકો વાડીએ દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં અમરેલી ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સુરગપરા ગામે દોડી આવી છે. આરોહી 40થી 50 ફૂટ ઉંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના પગલે 108ની ઈમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીનગરથી પણ NDRFની એક ટીમ સુરગપરા ગામે જવા રવાના થઇ છે.

કેમેરાથી રખાઈ રહી છે નજર

રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે, રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે. બાળકી અંદાજીત 50 ફૂંટ ઊંડે હોવાનું અનુમાન છે. હાલ ઓક્સિજન સપ્લાય ચાલુ છે અને કેમરા દ્વારા બાળકીની સ્થિતિ પર નજર રખાઇ રહી છે. તો બાળકી સુરક્ષિત બહાર નીકળે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. 

ADVERTISEMENT


ઈનપુટઃ ફારૂક કાદરી, અમરેલી 

    follow whatsapp

    ADVERTISEMENT

    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    RECOMMENDED
    ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પંથકમાં આગજની અને તોડફોડ, આરોપી ગુલામ મુસ્તફાની ધરપકડ

    ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પંથકમાં આગજની અને તોડફોડ, આરોપી ગુલામ મુસ્તફાની ધરપકડ

    RECOMMENDED
    નદીઓમાં પૂર...ડેમ ઓવરફ્લો: ગુજરાતના ખેડૂતોને અંબાલાલ પટેલની ચેતવણી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 'અતિભારે'ની આગાહી

    નદીઓમાં પૂર...ડેમ ઓવરફ્લો: ગુજરાતના ખેડૂતોને અંબાલાલ પટેલની ચેતવણી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 'અતિભારે'ની આગાહી

    RECOMMENDED
    Gujarat Rain:  યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! ભારે વરસાદને પગલે 2 કે 4 નહીં 40થી વધુ ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

    Gujarat Rain: યાત્રીગણ કૃપયા ધ્યાન દે..! ભારે વરસાદને પગલે 2 કે 4 નહીં 40થી વધુ ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

    RECOMMENDED
    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    RECOMMENDED
    ANIMAL...! ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે મગર, રીંછ, સિંહ અને સાપ શહેર અને ઘરોમાં ઘુસ્યા

    ANIMAL...! ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે મગર, રીંછ, સિંહ અને સાપ શહેર અને ઘરોમાં ઘુસ્યા

    RECOMMENDED
    ICC રેન્કિંગમાં મોટી ઉલટફેર, બાબર આઝમ ધડામ... કોહલી-યશસ્વીને મેચ રમ્યા વિના ફાયદો થયો

    ICC રેન્કિંગમાં મોટી ઉલટફેર, બાબર આઝમ ધડામ... કોહલી-યશસ્વીને મેચ રમ્યા વિના ફાયદો થયો

    RECOMMENDED
    રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ આ ટ્રોફીથી થયા બહાર, જાણો કોને મળી જગ્યા

    રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ આ ટ્રોફીથી થયા બહાર, જાણો કોને મળી જગ્યા

    RECOMMENDED
    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    RECOMMENDED
    Gujarat floods: ગુજરાતમાં 'આફત' નો વરસાદ, 3 દિવસમાં 28 લોકોના મોત; 41,678 લોકોનું સ્થળાંતર

    Gujarat floods: ગુજરાતમાં 'આફત' નો વરસાદ, 3 દિવસમાં 28 લોકોના મોત; 41,678 લોકોનું સ્થળાંતર

    RECOMMENDED