સુસાઈડ નોટ રડાવી દેશે...: વ્યાજખોરો અને રિકવરી એજન્ટોના ત્રાસથી અમદાવાદના વેપારીનો આપઘાત
Vadodara Crime News : વડોદરાની હોટલમાં અમદાવાદના વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામી છે. અમદાવાદના વેપારીએ ફાયનાન્સના રિકવરી એજન્ટો અને વ્યાજખોરોથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે.
ADVERTISEMENT

Vadodara Crime News : વડોદરાની હોટલમાં અમદાવાદના વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામી છે. અમદાવાદના વેપારીએ ફાયનાન્સના રિકવરી એજન્ટો અને વ્યાજખોરોથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. વેપારીએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ પણ પોલીસે કબજે કરી છે, જેના આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હોટલના રૂમમાં ટૂંકાવ્યું જીવન
મળતી માહિતી અનુસાર, અમદાનવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને એજ્યુકેશન વ્યવસાય સાથે સંકળાયેલા મહાવીરસિંહ હરિસિંહ સરવૈયા (ઉંમર વર્ષ 46) ગત 21 મેના રોજ વડોદરા ગયા હતા. અહીં તેઓ દુમાડ-ગોલ્ડન ચોકડી હાઈવે પર આવેલી તુલિપ હોટલના 106 નંબરના રૂમમાં રોકાયા હતા. જોકે, હોટલના કર્મચારીઓએ દરવાજો ખખડાવતા અંદરથી મહાવીરસિંહે દરવાજો ન ખોલતા કર્મચારીએ મેનેજરને જાણ કરી હતી.
પોલીસે મૃતકના પરિવારને કરી જાણ
જે બાદ તેઓને કંઈક અજુગતુ લાગતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં જ બીજી ચાવીથી રૂમ ખોલતા અંદર મહાવીરસિંહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને તપાસ હાથ ધરી હતી અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.
ADVERTISEMENT
પોલીસને મળી આવી સુસાઈડ નોટ
પોલીસને મૃતકના રૂમમાંથી 10 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ કોરોનાકાળમાં બિઝનેસ ઠપ્પ થઈ જતાં જના ફાયનાન્સમાંથી લોન લીધી હોવાનું અને લોન પૂરી ભરપાઈ કરી દીધી હોવા છતાં લેણદારો ઉઘરાણી કરવા માટે આવતા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેઓએ વ્યાજખોર પિતા-પુત્ર સાહર ઇશ્વરભાઈ દેસાઇ તેમનો પુત્ર વિશાલ સાહર દેસાઈ, મકાનનો બાનાખત કરી લેનાર જયેશ વાડીલાલ પટેલનું પણ નામ લખ્યું છે.
'IPS બનવાનું સપનું પૂરું કરજે'
સુસાઈડ નોટમાં તેઓએ પુત્રને સંબોધન કરતાં લખ્યું છે કે, બહેન અને મમ્મીનું ધ્યાન રાખજે અને તારું IPS બનવાનું સપનું પૂરું કરજે. હાલ તો મંજુસર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT