Rajkot: રાજકોટના લોકમેળામાં નહીં જોવા મળે રાઇડ્સ? કલેક્ટરો અને સંચાલકોની બેઠકમાં લેવાયો ખાસ નિર્ણય

ADVERTISEMENT

Rajkot News
Rajkot News
social share
google news

Rajkot News: રાજકોટનો લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે, પાંચ દિવસના આ મેળામાં અંદાજે 10 લાખ લોકો તેનો લાહવો લેવા માટે પહોંચતા હોય છે. રાજકોટના લોકમેળાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર અહીની રાઇડ્સ હોય છે પરંતુ આ વખતે રાજકોટના લોકમેળાનું મુખ્ય આકર્ષણ જ જોવા નહીં મળે એવું બાની શકે છે કારણ કે TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ કલેક્ટરે જન્માષ્ટમીના મેળામાં તકેદારી રાખી રહ્યા છે. એવામાં આજે યાંત્રિક રાઇડ્સધારકો અને જિલ્લા કલેક્ટર વચ્ચે SOP માં બદલાવ કરવાને લઈ બેઠક થઈ હતી, જે સંપૂર્ણ નિષ્ફળ રહી હતી. રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ ધારકો કલેક્ટરની SOP થી નારાજ છે.

રાજકોટના લોકમેળામાં નહીં જોવા મળે રાઇડ્સ?

રાજકોટના લોકમેળા માટે આજે યાંત્રિક રાઇડ્સ ધારકોએ કલેકટર સાથે બેઠક કરી હતી. જેમાં કલેકટરે જાહેર કરેલી SOP ને લઈ ચર્ચા થઈ હતી. યાંત્રિક રાઇડ્સ ધારકોએ આ SOP માં ફેરફાર કરવા માટે રજૂઆત કરી એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે, જો SOPમાં ફેરફાર નહિ થાય તો પ્લોટની હરરાજીમાં ભાગ લેશે નહિ અને મેળામાં યાંત્રિક રાઇડ્સ જોવા મળશે નહીં. જિલ્લા કલેક્ટર દ્રારા રાઇડ્સની ફિઝીબિલીટી,રાઇડ્સનું સ્ટ્રકચર,જમીનની ગુણવત્તા સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.  SOP પ્રમાણે આ વખતે લોકમેળામાં સ્ટોલ અને રાઇડ્સમાં 30 ટકાનો ઘટાડો કરાવામાં આવશે. સાથે SOP માં અમુક પ્રકારના રાઇડ્સની ગુણવતાને લઈને ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે 1-2 લાખ આસપાસ છે. જેને કારણે યાંત્રિક રાઇડ્સ ધારકોએ SOP માં બદલાવ માટેની માંગણી કરી હતી. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડનો વીમો વધારી 7.50 કરોડ કરાયો છે. 

યાત્રિક રાઈડ્સના રિપોર્ટને લઈને સંચાલકો નારાજ

રાઈડ્સના સંચાલકોએ મેળાના નિયમો હળવા કરવાની કલેક્ટર સમક્ષ માગ કરી હતી. જો કે અગ્નિકાંડ બાદ તંત્ર કોઈપણ છૂટ આપવા માટે તૈયાર નથી. હાલ મેળાની યાંત્રિક રાઈડ્સને લઈને મામલો ગૂંચવાયેલો છે. રાઈડ્સ ધારકોએ જણાવ્યુ કે, મેળાને લઈને જે નિયમો બનાવાયા છે તેમા કેટલાક નિયમો એવા છે જે કાયમી રાઈડ્સ રાખવાની હોય તો તેના માટે જરૂરી હોય છે પરંતુ હંગામી રાઈડ્સ માટે આ નિયમો વધુ પડતા છે. આ SOPમાં કેટલાક એવા નિયમો છે જેમા જમીનનું સ્ટ્રક્ચર ક્યા પ્રકારનું તેનો રિપોર્ટ રજૂ કરવો. આ ઉપરાંત રાઈડ્સનો એક પ્રકારનો એક્સરે એટલે કે રાઈડ્સની ફિઝિબિલિટીની ચકાસણી કરતો એક રિપોર્ટ રજૂ કરવો. જેની સામે સંચાલકોની રજૂઆત છે કે જે રિપોર્ટ માગવામાં આવ્યા છે, તે ઘણા ખર્ચાળ છે અને માત્ર ચાર દિવસના મેળા માટે પરવળે તેમ નથી, આથી નિયમોમાં બાંધછોડ કરવાનું રાઈડ્સ સંચાલકોએ સ્પષ્ટ રીતે કલેક્ટરને જણાવ્યુ હતુ. જોકે, સામે તંત્ર પણ તકેદારીમાં કોઈ  બાંધછોડ કરવાના મૂડમાં નથી. જો આ જ સ્થિતિ રહી તો બાની શકે કે રાજકોટના લોકમેળામાં આ વખતે રાઇડ્સ જોવા ન મળે. હજુ કોઈ પુષ્ટિ થઈ નથી પણ રાઈડ્સ ધારકોને બે દિવસનો સમય આપ્યો છે અને 8 ઓગષ્ટે મેળાના પ્લોટની હરાજી છે, ત્યારે રાઈડ્સ ધારકો શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે.

ADVERTISEMENT

રાઈડ્સ ધારકો માટે આ નિયમો

  • રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવું ફરજિતાય
  • દુકાનદારે ફાળવણી અને ઓળખપત્ર રાખવો ફરજિયાત
  • વેપારીઓ બજારભાવે જ ચીજવસ્તુઓ વેચી શકશે
  • ખાદ્યપદાર્થોના ભાવની યાદી લગાવવી ફરજિયાત
  • અકસ્માતના કેસમાં તંત્રની જવાબદારી નહીં રહે
  • જે હેતુ માટે સ્ટોલ ફાળવાયો તે જ હેતુ માટે ઉપયોગ કરી શકાશે
  • દુકાનદારને જરૂરી લાઇસન્સો, પરવાનગી લેવી ફરજિયાત
  • કચરાના નિકાલ માટે વેપારીએ વ્યવસ્થા કરવી પડશે
  • સ્ફોટક વસ્તુઓનું વેચાણ લોકમેળામાં નહીં થઈ શકે
  • સ્ટોલ તથા માલસામાનનો વીમો ઉતારવો ફરજિયાત છે
     

(ઇનપુટ: રોનક મજેઠીયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT