BREAKING: અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર બાલ્કની ધરાશાયી, 3 બાળકો સહિત 8 લોકો ઈજાગ્રસ્ત

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. બપોરે મામાના ઘરે સરસપુર પહોંચ્યા બાદ રથયાત્રા ત્યાંથી નિજ મંદિર જવા માટે પરત ફરી છે. આ દરમિયાન દરિયાપુરમાં એક જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં ભગવાનના દર્શન કરવા માટે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. AMC દ્વારા દુર્ઘટના થયા બાદ મકાન જોખમી હોવાની ચેતવણીનું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.

અમદાવાદમાં રથયાત્રાના પર્વ દરમિયાન દરિયાપુરમાં કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. દુર્ઘટના સમયે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે નીચે ઊભેલા લોકો પર કાટમાળ પડ્યો હતો. જેમાં 3 બાળકો સહિત 8 જેટલા ભાવિકોને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે પોલીસે કાટમાળમાં ફસાયેલા લોકોને દોડને બચાવ્યા હતા અને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે રથયાત્રામાં વિના અવરોધે પોતાના રૂટ પર આગળ વધી રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

નોંધનીય છે કે રથયાત્રાના રૂટ પર જર્જરિત મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રૂટ પર 312 જેટલા મકાનોને નોટિસ અપાઈ હતી. જેમાં ખાડિયામાં 180 મકાનો, દરિયાપુરમાં 109 મકાનોને ભયજનક હોવાની નોટિસ અપાઈ હતી. જમાલપુરમાં 10, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 મકાનોને પણ નોટિસ આપવામાં આવેલી છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT