બજેટમાં રૂ.7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે તો 3-6 લાખના સ્લેબમાં 5 ટકા ટેક્સ કેમ? સરળ શબ્દોમાં સમજો ગણિત

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્રિય નાણામંત્રીએ આજે બજેટની જાહેરાત કરી છે. જેમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લેવામાં આવે. અગાઉ તે 5 લાખ રૂપિયા હતો. જોકે બજેટમાં નવા ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે તેમાં 3થી 6 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. ત્યારે લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે કે જો 7 લાખ સુધીની આવક કરમુક્ત હોય તો પછી 3થી 6 લાખની આવક પર 5 ટકા ટેક્સ શા માટે દર્શાવાઈ રહ્યો છે.

આ લોકોએ ચૂકવવો પડશે ટેક્સ
જો કોઈ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા હોય તો તેણે એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ જો તેની આવક 7 લાખ ઉપર 1 પણ રૂપિયો વધી જાય તો તેણે ટેક્સ આપવો પડશે. ટેક્સની આ રકમ 1 રૂપિયા પર નહીં પરંતુ 3 લાખ રૂપિયા ઉપરની સમગ્ર આવક પર આપવી પડશે. એટલે કે જેની આવક 7 લાખથી વધારે છે તેમણે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ 7 લાખથી ઉપર હોય તો 3થી 6 લાખવાળા સ્લેબમાં 5 ટકા ટેક્સ આપવો પડશે. આવી જ રીતે 9 લાખ રૂપિયા ઉપરના સ્લેબમાં 10 ટકા, 9થી 12 લાખ રૂપિયા સુધીના સ્લેબમાં 15 ટકા, 12થી 15 લાખની આવકમાં 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ આપવો પડશે.

નવા ટેક્સ સ્લેબની જાહેરાત

આ પણ વાંચો

ADVERTISEMENT

આવક ટેક્સ (%) કરપાત્ર રકમ
0 થી 3 લાખ 0 ટકા 0
3 થી 6 લાખ 5 ટકા 15000
6 થી 9 લાખ 10 ટકા
15 હજાર + 30 હજાર
9 થી 12 લાખ 15 ટકા
45 હજાર + 45 હજાર
12 થી 15 લાખ 20 ટકા
90 હજાર + 60 હજાર
15 લાખથી વધારે 30 ટકા
1.5 લાખ + બાકી આવકના 30 ટકા

હાલમાં કયો ટેક્સ સ્લેબ છે?
અત્યાર સુધીના ટેક્સ સ્લેબ મુજબ, 0-2.50 લાખ સુધીની આવક સંપૂર્ણ રીતે આવકમાં છૂટ હતી. 2.50 લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સની જોગવાઈ હતી. 5થી 7.50 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ અને 7.50 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા, 10થી 12.50 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 12.50થી 15 લાખની આવક સુધી 25 ટકા ટેક્સ આપવાનો હતો. જ્યારે 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ હતો.

    follow whatsapp

    ADVERTISEMENT