સુરત આગ દુર્ઘટનાઃ વધુ એક કામદારે ગુમાવ્યો જીવ, મૃત્યુઆંક 8એ પહોંચ્યો; એથર કંપનીને 50 લાખનો દંડ
Surat News: સુરતના સચિન જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં બનેલા આગના બનાવે ગુજરાતભરમાં ચકચાર મચાવી દીધો છે. એથર કેમિકલ કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ…
ADVERTISEMENT

Surat News: સુરતના સચિન જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં બનેલા આગના બનાવે ગુજરાતભરમાં ચકચાર મચાવી દીધો છે. એથર કેમિકલ કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ સાથે 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારે હાલ આ મામલે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે કેમિકલ કંપનીમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 8 થઈ ગયો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક કામદારનું મૃત્યુ નિપજ્યું છે. મહત્વનું છે કે, એથર કમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 27 કામદારો દાઝી ગયા છે, જેમાંથી હજુ પણ 2 કામદારોની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કંપનીના અધિકારીઓએ વ્યક્ત કર્યું હતું દુઃખ
એથર ઈન્ડસ્ટ્રીઝે બે દિવસ અગાઉ પત્રકાર પરિષદ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કંપનીના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા 7 મૃત કામદારોના પરિવારો પ્રત્યે દિલથી સંવદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ રૂ.50 લાખ વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. બીજી બાજુ ઈજા થવાથી કાયમી અપંગતા ઉત્પન્ન થાય અને કામ કરવામાં સક્ષમ ન રહેતા કામદારોને રૂ.25 લાખ તેમજ સારવારનો તમામ ખર્ચ અપાશે.
ADVERTISEMENT
મંગળવારે રાત્રે લાગી હતી ભીષણ આગ
સુરત સચિન જીઆઈડીસીમાં રોડ નંબર 8 પર આવેલી એથર કેમિકલ કંપનીમાં મંગળવારે રાત્રે 2 વાગ્યે સ્ટોરેજ ટેન્કમાં રાખેલા કેમિકલમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરનો મેજર કોલ જાહેર થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની એક ડઝન જેટલી ગાડીઓ આગ બુજાવવામાં લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, આગમાં 27 જેટલા કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળી આવ્યા હતા 7 માનવ કંકાલ
જ્યારે 7 કર્મચારીઓ લાપતા થઈ ગયા હતા. જેની કંપનીના મેનેજરે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી હતી. જે બાદ આ 7 કર્મચારીઓના કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. લાપતા થયેલા 7 કામદારોના કંકાલ મળી આવ્યા બાદ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું.
ADVERTISEMENT
27 કામદારો દાઝી ગયા
આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. 2 કામદારો 70થી 100 ટકા સુધી દાજી જતાં જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. તો એક કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી મૃત્યુઆંક વધીને 8 થયો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT