રાજકોટના ધોરાજીમાં તાજીયામાં લાગ્યો 20 લોકોને કરંટઃ 2 ના મોત

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા.રાજકોટઃ રાજકોટના ધોરાજીમાં મોહરમના તહેવાર દરમિયાન તાજીયાના ઉજવણીમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 15 લોકોને વીજ કરંટ લાગતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

લોકો દોડ્યા અને મુસ્લિમ ભાઈઓને બચાવ્યા

ઘટના રાજકોટના ધોરાજીના રસુલપરા વિસ્તારમાં બની હતી. તાજીયાની ઉજવણીમાં લોકો તાજીયાને ઉપાડી રહ્યા હતા. આ દરમિયાન તાજીયાના છત પરથી પસાર થતો વીજળીનો વાયર અડી ગયો હતો. જેના કારણે તાજીયાના છત પર ઉભેલા લોકોને વીજ કરંટ લાગ્યો હોવાની પ્રારંભીક જાણકારી મળી રહી છે. કરંટ લાગતા જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કરંટ લાગતા લોકોની હાલત જોઈ શકાય છે.

અંજુને પાકિસ્તાનના મોટા બિઝનેસમેને ગિફ્ટ કર્યો પ્લોટ, ઘરે બેઠા પગાર પણ આપશે

અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તેઓના નામ જુનેદ હનીફ માજોઠી અને સાજીદ જુમાં શમા છે. 15 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે. તેમને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી તાજીયાના ઉજવણીમાં ભારે ઉદાસી છવાઈ ગઈ છે. લોકોએ આ ઘટનાનો શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે મુસ્લિમ ભાઈઓનો મહોરમનો તહેવાર છે જેને લઈને ઠેરઠેર તાજીયાના જુલુસ નીકળ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT