હથેળીની આ રેખાથી ખબર પડશે લવ મેરેજ થશે કે નહીં, જાણો લગ્ન સાથે જોડાયેલી 5 ખાસ બાબતો

Gujarat Tak

08 May 2024 (अपडेटेड: May 8 2024 5:38 PM)

Palmistry: દરેક વ્યક્તિ માટે તેની પર્સનલ લાઈફ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા ઈચ્છે છે કે તેના ક્યારે અને કોની સાથે લગ્ન થશે. હસ્તરેખાશાસ્ત્રમાં આ વિશે ઘણી વાતો લખવામાં આવી છે.

Jyotish

Jyotish

follow google news

Palmistry: દરેક વ્યક્તિ માટે તેની પર્સનલ લાઈફ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા ઈચ્છે છે કે તેના ક્યારે અને કોની સાથે લગ્ન થશે. હસ્તરેખાશાસ્ત્રમાં આ વિશે ઘણી વાતો લખવામાં આવી છે. તમારી રેખાઓ તમારી લવ લાઈફ વિશે ઘણા રહસ્યો ઉજાગર કરે છે. આ રેખાઓ જોઈને લગ્ન, પ્રેમ અને લગ્ન પછીના સંબંધોની ઊંડાઈ વિશે અનુમાન લગાવી શકાય છે. જો તમે પણ હાથની રેખા પરથી આ જાણવા માંગતા હોય તો આવો જાણીએ ખાસ વાતો.

આ પણ વાંચો

શું હોય છે વિવાહ રેખા?

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથના બહારના ભાગથી ટચલી આંગળીની નીચે અને હૃદય રેખાની ઉપરથી શરૂ થતી અને બુધ પર્વત તરફ જતી રેખાને લગ્ન રેખા કહેવામાં આવે છે. આ રેખાની આસપાસ બીજી ઘણી રેખાઓ છે, જે એ પણ દર્શાવે છે કે લગ્ન પછી તમારું જીવન કેવું રહેશે.

લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ કેવી રીતે ખબર પડે?

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની લગ્ન રેખા પર વર્ગનું નિશાન હોય તેના પ્રેમ લગ્ન થાય છે. આ સિવાય આ રેખા એ પણ દર્શાવે છે કે લગ્ન પહેલા તમારે કેટલા સંબંધો રહી શકે છે. જો આ રેખા સ્પષ્ટ દેખાતી નથી, તો તમારે જીવનમાં ઘણા બ્રેકઅપનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય જ્યારે કોઈ વ્યક્તિના હાથ પર શુક્રનો પર્વત વધુ સ્પષ્ટ અને ઉપસેલો દેખાય છે, તો પ્રેમ લગ્નની શક્યતાઓ ઝડપથી બની જાય છે.

કેવી રેખા શુભ મનાય છે?

જો તમારી લગ્ન રેખા ઘાટી, સ્પષ્ટ અને લાંબી છે તો આવી રેખા શુભ સંકેત આપે છે. આ દર્શાવે છે કે તમારું જીવન સુખી અને પ્રેમથી ભરેલું રહેશે. તમારો જીવનસાથી તમને ખૂબ પ્રેમ કરશે અને તમારા બંને વચ્ચે વધુ સારો તાલમેલ રહેશે.

ક્યારે થાય થે લગ્નમાં મોડું?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં મંગળની અશુભ અસર હોય ત્યારે લગ્નમાં ઘણો વિલંબ થાય છે. વ્યક્તિ ગમે તેટલા પ્રયાસ કરે, કોઈને કોઈ કારણસર તેના લગ્નમાં વિલંબ થાય છે. હસ્તરેખાશાસ્ત્રમાં પણ એક રેખા છે, જે લગ્નમાં વિલંબનો સંકેત આપે છે. એવું માનવામાં આવે છે કે જો લગ્ન રેખા અન્ય કોઈ રેખાનો છેદ થતો હોય તો લગ્નમાં વિલંબ થાય છે.

ક્યારે લગ્ન જલ્દી થઈ શકે?

લગ્ન રેખાની નજીક ત્રિશૂળ જેવું નિશાન હોય તો વ્યક્તિનો જીવનસાથી તેને ખૂબ પ્રેમ કરે છે. હૃદય રેખાની નજીક લગ્ન રેખા હોવાને કારણે, વ્યક્તિના લગ્ન 20-22 વર્ષની ઉંમરે થવાની સંભાવના છે. વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે.

    follow whatsapp