Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, EDના સમન્સ પર હાજર ન થતા એજન્સીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી

Yogesh Gajjar

• 03:03 PM • 03 Feb 2024

દારૂ કૌભાંડ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો. EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી. ED દ્વારા જારી કરાયેલા 5…

Arvind Kejriwal

Arvind Kejriwal

follow google news
  • દારૂ કૌભાંડ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો.
  • EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી.
  • ED દ્વારા જારી કરાયેલા 5 સમન્સ બાદ પણ પૂછપરછ માટે કેજરીવાલ હાજર થયા નથી.

Delhi CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિરુદ્ધ દારૂ કૌભાંડ (Liquor Scam) કેસમાં ED દિલ્હી કોર્ટ પહોંચી છે. મળતી માહિતી મુજબ કેજરીવાલ વિરુદ્ધ જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં સુનાવણી 7મી ફેબ્રુઆરીએ થશે. EDએ કહ્યું કે, PMLAની કલમ 50 હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો

કેજરીવાલ વિરુદ્ધ કયા આરોપ લાગ્યા?

તમને જણાવી દઈએ કે લોકસેવકના આદેશનું પાલન ન કરવા બદલ IPCની કલમ 174 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કલમ 50 હેઠળ પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ વ્યક્તિની હાજરી જરૂરી છે.

EDએ 5 જેટલા સમન્સ મોકલ્યા છે

EDએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક પછી એક 5 સમન્સ જારી કર્યા છે. પરંતુ કેજરીવાલ ED સમક્ષ હાજર નથી થઈ રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રીએ આ તમામ સમન્સને ગેરકાયદે ગણાવીને ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો છે.

CMએ સમન્સને રાજકીય પ્રેરિત ગણાવ્યા

તે જ સમયે, આમ આદમી પાર્ટીએ ED સમન્સને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદીજીનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે અને આમ કરીને તેઓ દિલ્હી સરકારને પછાડવા માંગે છે. અમે ચોક્કસપણે આવું થવા દઈશું નહીં. અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં વોટની ચોરી કરવામાં આવી હતી. હવે આના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા આવતા લોકોને દિલ્હીમાં વિવિધ સ્થળોએ રોકવામાં આવી રહ્યા છે.

કેજરીવાલને ક્યારે સમન્સ જારી કરવામાં આવ્યું?

કેજરીવાલને ગયા વર્ષે 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા કે લોકસભા ચૂંટણી પહેલા તેમને શા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘જો બે વર્ષથી તપાસ ચાલી રહી છે તો લોકસભા ચૂંટણી પહેલા જ કેમ બોલાવવામાં આવી રહ્યા છે? સીબીઆઈએ 8 મહિના પહેલા ફોન કર્યો હતો. મેં પણ જઈને જવાબો આપ્યા હતા. હવે જ્યારે તેમને લોકસભાની ચૂંટણી પહેલા બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે તેમનો ઉદ્દેશ્ય મારી પૂછપરછ કરવાનો નથી. તે લોકો મને બોલાવીને ધરપકડ કરવા માંગે છે. જેથી હું પ્રમોશન ન કરી શકું. આજે ભાજપ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે ED અને CBIનો ઉપયોગ કરી રહી છે.

    follow whatsapp