India-Canada Relation: ભારત પર કેનેડાના આરોપોને લઈને અમેરિકા કડક બનતું જણાય છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના આરોપો પર અમેરિકાએ કહ્યું છે કે, આ મામલે ભારતને અમેરિકા તરફથી કોઈ ખાસ છૂટ નહીં મળે. ગુરુવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કડક સ્વરમાં કહ્યું કે, અમેરિકા તેના મૂળભૂત સિદ્ધાંતો માટે ઊભું રહેશે, પછી ભલે તે કોઈપણ દેશ પ્રભાવિત હોય.
ADVERTISEMENT
અમેરિકા કેનેડાના સપોર્ટમાં આવ્યું
વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સુલિવને કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડાના આરોપો અંગે ખૂબ જ ચિંતિત છે અને તપાસને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે ગુનેગારોને ન્યાયના કઠઘરામાં લાવવામાં આવે. પત્રકારોએ સુલિવાનને પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ જો બાઇડેન આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે અને શું આ વિવાદ અમેરિકા અને ભારતના સંબંધો માટે ખતરો પેદા કરી શકે છે? જવાબમાં સુલિવને કહ્યું કે, તેઓ ખાનગી રાજદ્વારી વાટાઘાટો વિશે વાત કરવા માંગતા નથી પરંતુ અમેરિકા આ મુદ્દે ઉચ્ચ સ્તરે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે.
‘અમેરિકા ભારતને ખાસ છૂટ નહીં આપે’
પત્રકારોને સંબોધતા સુલિવને કહ્યું, ‘આ અમારા માટે ચિંતાનો વિષય છે. આ એક બાબત છે જેને અમે ગંભીરતાથી લીધી છે. મામલો એ છે કે અમે તેના પર કામ કરવાનું ચાલુ રાખીશું અને કોઈપણ દેશની પરવા કર્યા વિના અમે આમ કરીશું. આવા કામ માટે તમને કોઈ ખાસ છૂટ આપવામાં આવશે નહીં. કોઈ પણ દેશ હોય, અમે અમારા મૂળભૂત સિદ્ધાંતો માટે ઊભા રહીશું. અમે અમારા નજીકના સાથી કેનેડા સાથે પણ કામ કરીશું કારણ કે તે કેસની તપાસ અને રાજદ્વારી પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે.
અગાઉ એક પ્રેસ બ્રીફિંગમાં સુલિવને કહ્યું હતું કે, કેનેડામાં થયેલી હત્યામાં ભારત સરકારના એજન્ટો વચ્ચે સંભવિત જોડાણ અંગે યુએસ અત્યંત ચિંતિત છે. તે તપાસને સંપૂર્ણ સમર્થન આપે છે, ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માંગે છે અને યુએસ બંને સરકારોના સંપર્કમાં છે.
તેમણે કહ્યું, ‘કેનેડિયન પીએમના આરોપો વિશે સાંભળતા જ અમે આગળ આવ્યા અને આ આરોપ પર અમારી ચિંતા વ્યક્ત કરી. “ખરેખર શું થયું તેના તળિયે પહોંચવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ માટે અમારું સમર્થન છે.”
ADVERTISEMENT
