માત્ર 96 કલાકનો ઓક્સિજન બાકી... સુનિતા વિલિયમ્સ હંમેશા માટે સ્પેસમાં ફસાઈ શકે! ત્રણ સંભાવનાઓ આવી સામે

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બૂચ વિલ્મોર સાથે છેલ્લા બે મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. શરૂઆતમાં તે આઠ દિવસમાં આ મિશન પૂર્ણ કરીને પરત ફરવાના હતા, પરંતુ સ્ટારલાઈનર અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે.

સુનિતા વિલિયમ્સ

Sunita Williams

follow google news

Sunita Williams’ Fate Hangs : અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બૂચ વિલ્મોર સાથે છેલ્લા બે મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. શરૂઆતમાં તે આઠ દિવસમાં આ મિશન પૂર્ણ કરીને પરત ફરવાના હતા, પરંતુ સ્ટારલાઈનર અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે.

હવે એક નિષ્ણાંતે ચોંકાવનારો દાવો કર્યો છે કે સુનીતા અને બૂચ વિલ્મોર એવી સ્થિતિમાં અટવાઈ શકે છે કે જ્યાં તેમની પાસે માત્ર 96 કલાક ઓક્સિજનનો પુરવઠો બાકી રહેશે. યુએસ મિલિટરી સ્પેસ સિસ્ટમ્સના ભૂતપૂર્વ કમાન્ડર રુડી રિડોલ્ફીએ મીડિયાને જણાવ્યું હતું કે જો સ્ટારલાઇનર અવકાશયાન ખોટા ખૂણા પર પૃથ્વીમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો તે વાતાવરણ સાથે અથડાઈ શકે છે અને ભ્રમણકક્ષામાં પરત રહી શકે છે.

વધુ બે સંજોગોની શક્યતા

રિડોલ્ફીએ કહ્યું કે આવી સ્થિતિમાં સુનીતા અને બૂચ માત્ર 96 કલાક ઓક્સિજન સપ્લાય સાથે અવકાશમાં ફસાયેલા રહી શકે છે. ત્યારે તેમણે વધુ બે પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. રિડોલ્ફીએ જણાવ્યું હતું કે અન્ય એક શક્યતા એ છે કે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં ખોટા સંકલનને કારણે ફરી પ્રવેશવામાં નિષ્ફળ રહ્યું છે. જો આવું થાય, તો સ્ટારલાઇનર અવકાશમાં અનિશ્ચિત સમય માટે અટવાયેલું રહેશે.

જીવ પણ જોખમમાં મૂકાઈ શકે

છેલ્લી શક્યતા સમજાવતા રિડોલ્ફીએ કહ્યું કે તેનાથી અવકાશયાત્રીઓના જીવને પણ જોખમ થઈ શકે છે. તેમણે કહ્યું કે જો અવકાશયાન સીધા ખૂણા પર પ્રવેશવાનો પ્રયાસ કરે તો તે અતિશય ઘર્ષણ અને ગરમીને કારણે તેની હીટ શિલ્ડ નિષ્ફળ થઈ શકે છે. આવી સ્થિતિમાં, અવકાશયાન સપાટી પર પહોંચતા પહેલા જ બળી જશે અને તેના કારણે અવકાશયાત્રીઓ જીવ પણ ગુમાવી શકે છે.

નાસા વિકલ્પો શોધી રહી છે

અહીં, NASA ટૂંક સમયમાં અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવાના વિકલ્પોની શોધ કરી રહ્યું છે, પરંતુ હજુ પણ ઘણા સંભવિત જોખમો છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે. નાસા સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં અવકાશયાત્રીઓને પરત કરવા પણ વિચારી રહ્યું છે, જે સપ્ટેમ્બર 2024 માં પ્રસ્થાન થવાનું છે.

    follow whatsapp