ધર્મનો દબદબો: ક્રિશ્ચિયન ધર્મગુરૂની અપીલ બાદ રશિયાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી પણ…

Krutarth

• 06:03 PM • 05 Jan 2023

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે જાહેરાત કરી છે કે તેમની સેના 6 અને 7 જાન્યુઆરી બે દિવસ માટે યુક્રેન પર હુમલો…

gujarattak
follow google news

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે જાહેરાત કરી છે કે તેમની સેના 6 અને 7 જાન્યુઆરી બે દિવસ માટે યુક્રેન પર હુમલો નહીં કરે. રશિયા તરફથી બે દિવસ સુધી યુદ્ધવિરામ રહેશે. પુતિને આ નિર્ણય રશિયન ક્રિશ્ચિયન ધર્મગુરુ કિરીલની અપીલ બાદ લેવામાં આવ્યો છે. ઓર્થોડોક્સ ક્રિસમસ રશિયામાં ઉજવવામાં આવે છે. આ ક્રિસમસ 7 જાન્યુઆરીએ ઉજવાય છે. જેથી આ બે દિવસ સુધી કોઇ પણ પ્રકારનો હુમલો કરવામાં નહી આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓર્થોડોક્સ ક્રિસમસ પૂર્વ યુરોપના દેશો જેવા કે રશિયા, ગ્રીસ, ઇથોપિયા અને ઇજિપ્તમાં ઉજવાતી હોય છે.

આ પણ વાંચો

રશિયન રાષ્ટ્રપતિની બે દિવસ માટે યુદ્ધ વિરામની જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે જાહેરાત કરતા જણાવ્યું કે, બે દિવસ માટે તેઓ યુદ્ધ વિરામ કરવા જઇ રહ્યા છે. સેના 6 અને 7 જાન્યુઆરીએ યુક્રેન પર હુમલો નહીં કરે. રશિયા તરફથી બે દિવસ માટે સંપુર્ણ શાંતિ રહેશે. અત્રે ઉલ્લેખીય છે કે, આ અંગે ક્રિશ્ચિયન ધર્મગુરૂ પેટ્રિયાર્ક કિરિલે અગાઉ વ્લાદિમીર પુતીનને અપીલ કરી હતી. જેના અનુસંધાને પુતનિને આ જાહેરાત કરી છે.

ગત્ત ફેબ્રુઆરીથી પહેલીવાર રશિયાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર થયેલા હુમલા બાદ આ પહેલીવાર છે જ્યારે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી હોય. અત્રે નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન બંન્ને ઓર્થોડોક્સ ક્રિસમસ ઉજવે છે. આ ઉપરાંત ગ્રીસ, ઇથોપિયા અને ઇજિપ્ત જેવા પૂર્વ યુરોપના અનેક દેશો ઓર્થોડોક્સ ક્રિસમસની ઉજવણી કરે છે.

રશિયા અને યુક્રેનિયન એક જ ચર્ચ અને સમુદાયને માને છે
યુક્રેન અને રશિયા બંને એકદમ પાડોશી દેશો હોવા ઉપરાંત ક્રિશ્યાનિટીમાં પણ એક જ સંપ્રદાયને અનુસરે છે. મોટા ભાગના રશિયન ઓર્થોડોક્સ ચર્ચના અનુયાયીઓ છે, તેવી જ રીતે યુક્રેન પણ ઓર્થોડોક્સ ચર્ચને જ અનુસરે છે. યુક્રેનનું ઓર્થોડોક્સ ચર્ચ 2019 માં રશિયન ઓર્થોડોક્સ ચર્ચથી અલગ થયું હતું. આ ચર્ચ હવે ચર્ચ ઓફ યુક્રેન તરીકે ઓળખાય છે. જેને અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો તરફથી આર્થિક સહિતની તમામ મદદ મળે છે. રશિયાને આ સ્વીકાર્ય નથી. વિશ્વમાં લગભગ 24 કરોડ ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ છે. યુદ્ધના કેટલાક કારણો પૈકીનું આ પણ એક મહત્વનું કારણ છે.

    follow whatsapp