રાજસ્થાન CM અશોક ગહલોતે રાજીનામું આપ્યું, સત્તા છીનવાયા બાદ આપ્યું મહત્વનું નિવેદન

Ashok Gehlot Resign : રાજસ્થાનમાં કોંગ્રેસના પરાજય બાદ અશોક ગહલોતે કહ્યું કે, રાજસ્થાનની જનતા દ્વારા અપાયેલા જનાદેશનો ખુબ જ વિનમ્રતાપુર્વક સ્વીકાર કરીએ છીએ. આ તમામ…

Ashok Gehlot Resign

Ashok Gehlot Resign

follow google news

Ashok Gehlot Resign : રાજસ્થાનમાં કોંગ્રેસના પરાજય બાદ અશોક ગહલોતે કહ્યું કે, રાજસ્થાનની જનતા દ્વારા અપાયેલા જનાદેશનો ખુબ જ વિનમ્રતાપુર્વક સ્વીકાર કરીએ છીએ. આ તમામ માટે એક ચોંકાવનારુ પરિણામ છે.

રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગહલોતના કોંગ્રેસના પરાજય અને ભાજપની જીત પર પરેશાની વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારે કામ સારુ કર્યું, પરંતુ જનતા સુધી સંદેશ પહોંચાડવામાં નિષ્ફળ રહી. તેમણે જતા જતા ભાજપની આગામી સરકારને સલાહ આપી છે કે, કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓને આગળ વધારવામાં આવે.

જનતાના જનાદેશનો સ્વિકાર

કોંગ્રેસના પરાજય બાદ અશોક ગહલોતે ટ્વીટ કર્યું કે, રાજસ્થાનની જનતા દ્વારા અપાયેલા જનાદેશને અમે વિનમ્રતાપુર્વક સ્વીકાર કરે છે. આ તમામ માટે એક ચોંકાવનારુ પરિણામ છે. આ હાર દેખાડે છે કે અમે પોતાની યોજનાઓ, કાયદાઓ અને નવાવિચારને જનતા સુધી પહોંચાડવામાં સંપુર્ણ નિષ્ફળ નથી રહ્યા.

ભાજપ સરકારને આપી શુભકામનાઓ

ભાજપની આગામી સરકારે શુભકામનાઓ આપતા તેમણે કોંગ્રેસની યોજનાઓને બંધ ન કરવાની અપીલ કરી. તેમણે લખ્યું કે, હું નવી સરકારને શુભકામનાઓ આપુ છું. મારી તેમને સલાહ છે કે, અમે કામ કરવા છતા સફળ નથી રહ્યા તેનો સીધો અર્થ છે કે તેઓ સરકારમાં આવ્યા બાદ કામ જ ન કરે. OPS ચિરંજીવી સહિત તમામ યોજનાઓ અને તેઓ વિકાસની સ્પીડ આ પાંચ વર્ષમાં રાજસ્થાનને અમે આપી છે તેઓ તેને આગળ વધારે. તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓને તેમની મહેનત માટે આભાર વ્યક્ત કર્યો હતો.

ગહલોતે કોંગ્રેસી કાર્યકરોને આત્મમંથનની સલાહ આપી

મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન ગહલોતે કહ્યું કે, કોંગ્રેસ સરકારની ગેરેન્ટી શાનદાર હતી, પરંતુ જે પરિણામ આવે તે ચોંકાવનારા છે. તેમણે કહ્યું કે, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ આશાથી વિપરીત પરિણામ આવ્યા છે. ત્રણ રાજ્યોમાં આવા પરિણામ આવ્યા તે વિચારવાનો વિષય છે. પરિણામ આધારે તપાસ કરીશું કે શું કારણ રહ્યા. ગહલોતે કહ્યું કે, તેઓ નવી સરકારનો પણ સહયોગ કરશે.

તે કહેવું ખોટું કે નવા ચહેરાઓ ઉતાર્યા હોત તો જીતી ગયા હોત

નવા ચહેરાને તક આપવા અંગે પુછાતા તેમણે કહ્યું કે, આ સમસ્યા જે અહીં હતી અમે પણ જાણીએ છીએ કે નવા ચહેરા લાવવાની વાત હતી, નવા ઉમેદવાર લાવવામાં આવે. જો કે આ માંગ તો મધ્યપ્રદેશમાં નહોતી, છત્તીસગઢમાં નહોતી પરંતુ ત્યાં પણ હાર્યા. આ કહેવું કે નવા ચહેરા લાવતાની સાથે જ જીતી જાત તે વાત ખોટી છે.

    follow whatsapp