President Rule: શું દિલ્હીમાં લાગું થશે રાષ્ટ્રપતિ શાસન? જાણો શા માટે ઉઠી રહ્યા છે આ સવાલ

Gujarat Tak

22 Mar 2024 (अपडेटेड: Mar 22 2024 4:59 PM)

ઈડીની ટીમ ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. એવામાં અરવિંદ કેજરીવાલ પોતે અને તેમના તમામ મંત્રીઓ વારંવાર કહી રહ્યા છે કે તેઓ  જેલમાંથી સરકાર ચલાવશે, પરંતુ તેણી એકદમ નહિવત શક્યતા છે. રાજકીય નિષ્ણાતોના મતે ભૂતકાળમાં પણ આવું કોઈ ઉદાહરણ જોવા મળ્યું નથી

President Rule

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગું થશે!

follow google news

President Rule: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સાંજે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ (Delhi CM Arvind Kejriwal Arrested) કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. એવામાં અરવિંદ કેજરીવાલ પોતે અને તેમના તમામ મંત્રીઓ વારંવાર કહી રહ્યા છે કે તેઓ  જેલમાંથી સરકાર ચલાવશે, પરંતુ તેણી એકદમ નહિવત શક્યતા છે. રાજકીય નિષ્ણાતોના મતે ભૂતકાળમાં પણ આવું કોઈ ઉદાહરણ જોવા મળ્યું નથી. તેનાથી વિપરિત જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદી શકાય છે.  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ માટે જેલના નિયમોમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં.

આ પણ વાંચો

રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે!

NGTના ન્યાયિક સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલના કહેવા પ્રમાણે જો કોઈ સરકારી અધિકારી જેલમાં જાય તો તેને સસ્પેન્ડ કરવાનો કાયદો છે, પરંતુ રાજકારણીઓ પર આવો કોઈ કાનૂની પ્રતિબંધ નથી. જો કે, દિલ્હી સંપૂર્ણ રાજ્ય ન હોવાથી જો મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.

અત્યાર સુધીમાં જેલમાંથી કોઈએ સરકાર ચલાવી નથી

એ જ રીતે, રાજ્યસભાના પૂર્વ મહાસચિવ યોગેન્દ્ર નારાયણ કહે છે કે, કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં જો તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે, તો તે સીધા કોર્ટ પર નિર્ભર રહેશે કે તેઓ તેમને પદની જવાબદારીઓ નિભાવવાની મંજૂરી આપે છે કે નહીં. આ અંગે બંધારણીય નિયમો કે RPA એક્ટના નિયમો જોગવાઈ કરવામાં આવી નથી. જો કે, ભૂતકાળમાં આવો કોઈ કિસ્સો ધ્યાનમાં આવતો નથી, જ્યારે કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ચલાવી હોય.

કેજરીવાલ અન્ય કેદીઓની જેમ જેલમાં રહેશે

બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ ઉમેશ સાયગલનું કહેવું છે કે, જેલમાં રહીને કેજરીવાલ પર એ જ જેલ નિયમો લાગુ થશે જે અન્ય કેદીઓ પર લાગુ છે. આ મુજબ, તે જેલમાંથી માત્ર પત્રો જ લખી શકે છે અને તે પણ નિયમિત રીતે નહીં પરંતુ સમયાંતરે. તેમને ત્યાં ક્યારેય સરકારી ફાઇલો મંગાવવાની કે કોઇ આદેશ જારી કરવાની સ્વતંત્રતા આપી શકાય નહીં. જેલમાં કેબિનેટ બેઠક યોજવાનો વિચાર શુદ્ધ કાલ્પનિક છે. તેવી જ રીતે, કોઈપણ વ્યક્તિ જેલમાં હોય ત્યારે જ જેલના નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિને મળવાની મંજૂરી આપી શકે છે.
 

    follow whatsapp