100 KM ચાલીને 4 દિવસે બૂથ સુધી પહોંચી ટીમ અને પડ્યા ખાલી 4 મત; ચૂંટણીના બહિષ્કારનું કારણ ચોંકાવનારું

Gujarat Tak

21 Apr 2024 (अपडेटेड: Apr 21 2024 11:53 AM)

Uttarakhand Village People Boycott Voting: 100 કિલોમીટર ચાલીને 4 દિવસે પોલિંગ ટીમ બૂથ પર પહોંચી, પરંતુ પોલિંગ કર્મીઓ નિરાશ થઈને પરત ફર્યા. તેમની મહેનત પર પણ પાણી ફેરવાઈ ગયું, કારણ કે ગામમાં માત્ર 4 લોકો જ મતદાન કરવા આવ્યા હતા.

Uttarakhand Village People Boycott Voting

મહેનત પાણીમાં

follow google news

Uttarakhand Village People Boycott Voting: 100 કિલોમીટર ચાલીને 4 દિવસે પોલિંગ ટીમ બૂથ પર પહોંચી, પરંતુ પોલિંગ કર્મીઓ નિરાશ થઈને પરત ફર્યા. તેમની મહેનત પર પણ પાણી ફેરવાઈ ગયું, કારણ કે ગામમાં માત્ર 4 લોકો જ મતદાન કરવા આવ્યા હતા. જી હાં, ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. કનાર ગામ ઉત્તરાખંડના સૌથી દૂરના ગામોમાંથી એક છે. જ્યાં પહોંચવા માટે કોઈ રોડ-રસ્તો જ નથી.

આ પણ વાંચો

ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર

ઉબડખાબડ પહાડી રસ્તાઓને પાર કરીને પોલિંગ ટીમ ગામ સુધી પહોંચી હતી, પરંતુ ખાલી હાથ પિથૌરાગઢ પરત ફરી. આ ગામના લોકોએ વર્ષ 2019માં પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તે સમયે એક પણ મત પડ્યો નહતો. આ વખતે ફરી મતદાનના બહિષ્કારનું કારણ રોડ કનેક્ટિવિટીનો અભાવ છે. ગામલોકોનું કહેવું છે કે રોડ નહીં તો મતદાન નહીં. જે દિવસે કોઈ સરકાર તેમના ગામ સુધી રસ્તો બનાવશે, તે દિવસે તેઓ મતદાન કરશે.

587 મતદારો અને 21 લોકોની પોલિંગ ટીમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કનાર ગામમાં 587 મતદારો છે. મતદાન કરાવવા માટે 21 લોકોની ટીમ ગામમાં પહોંચી હતી, પરંતુ ગ્રામજનોએ પોલિંગ ટીમનો વિરોધ કર્યો. તેમણે તેમને ગામ છોડવાનું પણ કહ્યું હતું. 16 એપ્રિલના રોજ મતદાન કર્મચારીઓ (પોલિંગ કર્મીઓ) કનાર માટે નીકળ્યા હતા, તેઓ ડુંગરાળ રસ્તાઓ પાર કરીને ગામમાં પહોંચ્યા હતા.

રાત્રે જમવાનું પણ ન મળ્યું

1800 મીટરનું ચઢાણ પણ કર્યું. રાત્રે તેઓ એક પ્રાથમિક શાળામાં રોકાયા, જ્યાં તેમને જમવાનું પણ નહોતું મળ્યું. તેમની સાથે સામાન લઈને 4 લોકો પણ હતા. કોઈ રીતે 4 દિવસ અને રાતની મુસાફરી કર્યા પછી, જ્યારે તેઓ ગામમાં પહોંચ્યા, ત્યારે તેમને જોઈને ગ્રામજનો ગુસ્સે થઈ ગયા. તેમણે મત આપવાનો ઇનકાર કર્યો હતો. શાળામાં મધ્યાહન ભોજન બનાવતી મહિલાઓ દ્વારા ભોજન પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

સમજાવવા છતાં ન માન્યા મતદારો

કનાર ગામમાં લોકસભા ચૂંટણી 2024 માટે નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર મનોજ કુમારે ગ્રામજનોના વલણ પર નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઘણી મુશ્કેલીઓને પાર કરીને તેઓ મતદાન કરાવવા ગામમાં પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનોને મત આપવા માટે સમજાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ સ્પષ્ટ ના પાડી.

રોડ નહીં તો મત નહીં

સ્થાનિક જીત સિંહે મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ગામમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી મતદાન નહીં થાય. જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી મત નહીં મળે.  

    follow whatsapp