માનિક સાહા બીજી વખત ત્રિપુરાના સીએમ બનશે, સર્વસંમતિથી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા

Krutarth

• 11:41 AM • 07 Mar 2023

નવી દિલ્હી : માનિક સાહા 8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેશે. ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 32 બેઠકો જીતી હતી, જેના માટે 16 ફેબ્રુઆરીએ…

gujarattak
follow google news

નવી દિલ્હી : માનિક સાહા 8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેશે. ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 32 બેઠકો જીતી હતી, જેના માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 55 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે તેના સહયોગી IPFTએ 5 બેઠકો પર ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો

માણિક સાહાની સર્વસંમતીથી પસંદગી કરવામાં આવી
માણિક સાહા ત્રિપુરામાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા છે. માણિક સાહા બીજી વખત ત્રિપુરાના મુખ્યમંત્રી બનશે. સોમવારે તેઓ સર્વસંમતિથી ધારાસભ્યોના નેતા તરીકે ચૂંટાયા હતા. તેઓ 8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેશે. ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 32 બેઠકો જીતી હતી, જેના માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. અહીં 81.1 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 60 વિધાનસભા બેઠકો પર કુલ 259 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપ અને આઈપીએફટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપે 55 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ 5 બેઠકો પર ચૂંટણી લડી હતી.

કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે થયેલા કરાર અંતર્ગત બેઠક
આ સિવાય કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે બેઠકો પરના કરાર હેઠળ ડાબેરી મોરચાએ 43 બેઠકો પર અને કોંગ્રેસે 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ સિવાય કોંગ્રેસ અને ડાબેરીઓએ એક બેઠક પર અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું હતું. જ્યારે પ્રદ્યોત બિક્રમની નવી પાર્ટી ટિપ્રા મોથાએ રાજ્યની 60માંથી 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ રાજ્યમાં 28 બેઠકો પર ચૂંટણી લડી હતી. ઉત્તરપૂર્વીય રાજ્યમાં વર્ષોથી થયેલા વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે ડાબેરી મોરચા અને કોંગ્રેસે ભાર મૂક્યો હતો.

ચૂંટણી બાદ ત્રિપુરામાં આગચંપીની ઘટનાઓ બની હતી
BJP-IPFT સરકારના ‘કુશાસન’ પર. આ સિવાય ટિપરા મોથાનો ચૂંટણી મુદ્દો ગ્રેટર ટિપરલેન્ડ રાજ્યની માંગ છે.ચૂંટણી બાદ ત્રિપુરામાં ઘણી જગ્યાએ આગચંપીની ઘટનાઓ બની હતી, જ્યારે મેઘાલયના એક વિસ્તારમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. અન્ય ઘણી જગ્યાએ, વિવિધ જૂથોના કાર્યકરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. Axis My India અને Aaj Tak ના એક્ઝિટ પોલમાં બીજેપી ગઠબંધનને જીત મળી રહી છે. એક્ઝિટ પોલમાં ભાજપને 36થી 45 બેઠકો મળતી દર્શાવવામાં આવી હતી.

    follow whatsapp