GAME જેહાદ: ONLINE GAME ના નામે ધર્માંતરણનો નવો ખેલ, આ કિસ્સો જાણીને ચોંકી ઉઠશો

Krutarth

• 01:30 PM • 31 May 2023

ગાઝિયાબાદ : જિલ્લાના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર છોકરાના ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કિશોરના પિતાએ અન્ય સમુદાયના મુંબઈ ખાતે રહેતા અન્ય…

Game Jihad in India

Game Jihad in India

follow google news

ગાઝિયાબાદ : જિલ્લાના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર છોકરાના ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કિશોરના પિતાએ અન્ય સમુદાયના મુંબઈ ખાતે રહેતા અન્ય એક યુવક પર ધર્માંતરણનો આરોપ મૂક્યો હતો. ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર છોકરાના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. કિશોરના પિતાએ કવિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. જેમાં અન્ય સમુદાયના મુંબઈ નિવાસી અને અન્ય લોકો પર તેમના પુત્રનો ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો

દિકરો જીમ જવાના બહાને મસ્જિદમાં નમાજ પઢવા જતો હતો
પિતાનું કહેવું છે કે, તેમનો દીકરો જિમ જવાના નામે દિવસમાં પાંચ વખત ઘરેથી જતો હતો. પીછો કરતાં જાણવા મળ્યું કે તે નમાજ માટે જતો હતો. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજનગરમાં રહેતા એક વ્યક્તિનું કહેવું છે કે, તેનો સગીર પુત્ર થોડા દિવસોથી વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. તે દિવસમાં પાંચ વખત જીમમાં જવાના નામે ઘરની બહાર નીકળી જતો હતો અને કલાકો પછી પાછો આવતો હતો. શંકાસ્પદ જણાતા તેઓએ પુત્રનો પીછો કર્યો અને ખબર પડી કે તે સંજય નગર સેક્ટર-23 સ્થિત ધાર્મિક સ્થળે નમાજ પઢવા માટે જતો હતો. આ જોયું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

અન્ય ધર્મો કરતા ઇસ્લામ શ્રેષ્ઠ હોવાનો પોલીસનો દાવો
પૂછપરછ પરછ કરતા પુત્રએ કહ્યું કે, ઇસ્લામ અન્ય ધર્મો કરતાં શ્રેષ્ઠ છે, તેથી તેણે આ ધર્મ અપનાવ્યો છે. પીડિતાના પિતાનું કહેવું છે કે તેણે ગુપ્ત રીતે તેમના પુત્રના મોબાઈલ અને લેપટોપની તપાસ કરી તો તેમાંથી અન્ય સંપ્રદાયોની સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત અન્ય ધર્મોની વિરુદ્ધમાં ભારે ઝેરી લખાણ પણ જોવા મળ્યું હતું.

ઓનલાઈન ગેમિંગ દ્વારા મુંબઈના એક યુવક સાથે ઓળખાણ થઈ હતી
પીડિતાના પિતાના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું કે તેનો પુત્ર મુંબઈમાં રહેતા અન્ય ધર્મના યુવકો સાથે ઓનલાઈન ગેમિંગ દ્વારા પરિચયમાં આવ્યો હતો. લગભગ બે વર્ષ પહેલા તેના પુત્રને કોમ્પ્યુટરના પાર્ટ્સ વેચ્યા હતા. જેના બદલામાં પુત્રએ જુલાઈ 2021માં આ યુવકોને 20,000 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. પિતાનું કહેવું છે કે, ત્યારથી તેમનો પુત્ર તેમના પ્રભાવમાં છે. તે તેની સાથે કલાકો સુધી વાત કરે છે અને આ સિવાય બીજા ઘણા નંબર છે. જેનાથી તેનો પુત્ર સંપર્કમાં છે. પિતાનું કહેવું છે કે તેઓ પુત્રના ધર્મ પરિવર્તનથી ચિંતિત છે.

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી
પિતાનું કહેવું છે કે, તેમનો પુત્ર નિર્દોષ છે. ફોસલાવીને તેનો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો છે. તેમને આશંકા છે કે તેમના પુત્રનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થઈ શકે છે. પિતાએ સંજયનગર સેક્ટર-23 સ્થિત ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા લોકો પર કાવતરામાં સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. આરોપ છે કે, તેના પુત્રને એવી રીતે ફસાવી દેવામાં આવ્યો છે કે તે ઘર છોડીને અન્ય સમુદાયના ધાર્મિક સ્થળે જતા રહેવાની જીદ્દ કરી રહ્યો છે. પીડિતાના પિતાએ મંગળવારે પોલીસ કમિશનરને અરજી કરી કાર્યવાહી હાથ ધરી હતી. ACP કવિનગર અભિષેક શ્રીવાસ્તવનું કહેવું છે કે, મુંબઈના રહેવાસી અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં જે હકીકત બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp