Farmer Protest Haryana: હરિયાણાના કુરુક્ષેત્રમાં ખેડૂતો એકવાર ફરીથી રસ્તા પર ઉતર્યા છે. સુરજમુખીના વીજ માટે એમએસપીની માંગ સાથે સોમવારે કુરુક્ષેત્રમાં મહાપંચાયત કર્યા બાદ ખેડૂતોએ ચંડીગઢ-દિલ્હી નેશનલ હાઇવે પર જામ કરી દીધો હતો. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે હાઇવે પર જામ કર્યો છે. અમે તો માત્ર અહીં બેઠા છીએ. નેશનલ હાઇવેને અટકાવવો કોઇ પણ રીતે યોગ્ય નથી.
ADVERTISEMENT
ટિકૈતે કહ્યું કે, અમારી માત્ર બે માંગણીઓ છે. કસ્ટડીમાં લેવાયેલા ખેડૂતોને છોડવામાં આવે. એમએસપી અંગે સુરજમુખીના બીજ ખરીદવાનું શરૂ કરવામાં આવે. અમે સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. આ અંગે હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો રાજનીતિક લાભ ઉઠાવવા માટે કેટલાક મુદ્દાઓને ફરીથી પુનર્જીવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કેન્દ્ર સતત સમાધઆન શોધવાના પ્રયાસો કરી રહ્યું છે. કોઇ પણ મુદ્દે વાતચીતથી જ સમગ્ર મામલાનો ઉકેલ આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મંગળવારે ખેડૂતોએ કુરુક્ષેત્રમાં ચંડીગઢ-નેશનલ હાઇવેને જામ કરી દીધા હતા. આ દરમિયાન ખેડૂતોને તિતર બિતર કરવા માટે પોલીસે વોટર કેનનો પ્રયોગ કર્યો હતો. ખેડૂતો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રદર્શન બાદ ભારતીય ખેડૂત યુનિયનના અધ્યક્ષ ગુરનામ સિંહ સહિત અનેક ખેડૂતોની ધરપકડ કરી હતી. જેમને 14 દિવસની ન્યાયીક હિરાસતમાં મોકલી દેવાયા હતા. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, સરકાર એમએસપી અંગે સુરજમુખી બીજની ખરીદી નથી કરી રહી. જેના કારણે ખેડૂતોએ પોતાની ઉપજ ખાનગી કંપનીઓને 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચવી પડી રહી છે.
ADVERTISEMENT
