ફાર્મા સેક્ટર પર કડક કાર્યવાહી: 203 કંપનીઓની તપાસ બાદ 18 લાયસન્સ રદ્દ

Krutarth

• 02:06 PM • 28 Mar 2023

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભેળસેળવાળી ફાર્મા કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ બાદ અત્યાર સુધીમાં 18 કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. આગામી…

Strict action by the government on the pharma sector

Strict action by the government on the pharma sector

follow google news

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભેળસેળવાળી ફાર્મા કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ બાદ અત્યાર સુધીમાં 18 કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ કંપનીઓને પણ અસર થઈ શકે છે. દેશમાં દવાઓમાં થતી ભેળસેળને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. તે કામગીરી હેઠળ, રાજ્ય અને કેન્દ્રીય દવા નિયમનકારોએ 20 રાજ્યોમાં તપાસ હાથ ધરી છે અને કુલ 203 ફાર્મા કંપનીઓની ઓળખ કરવામાં આવી છે. જે પૈકી 18 કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ કંપનીઓ દવાઓની ગુણવત્તા સાથે છેડછાડ કરતી હતી.

આ પણ વાંચો

આ કાર્યવાહી શા માટે કરવામાં આવી?
હવે આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે અન્ય દેશોમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપના કારણે બાળકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા જ ઉઝબેકિસ્તાનમાં મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીની કફ સિરપ ડોક-1 પીવાથી 18 બાળકોના મોત થયા હતા. તે મૃત્યુ પછી, યુપી સરકારે નોઇડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકનું લાઇસન્સ રદ કર્યું. 12 જાન્યુઆરીના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ઉઝબેકિસ્તાનમાં બે ‘સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ’ (દૂષિત) ઉત્પાદનોને ટાંકીને ચેતવણી પણ જારી કરી હતી.

WHO દ્વારા પણ ભારત સરકારને ટકોર કરવામાં આવી હતી
ડબ્લ્યુએચઓ દ્વારા ઉલ્લેખિત બે ઉત્પાદનોમાં એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે-1 મેક્સ સીરપનો સમાવેશ થાય છે. 15 દિવસથી કાર્યવાહી ચાલુ છે, તે તપાસ વચ્ચે, કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તેના સ્તરે વિગતવાર તપાસ શરૂ કરી છે. ગુણવત્તા સાથે ચેડા કરતી દરેક ફાર્મા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 20 રાજ્યોમાં તપાસ પહોંચી છે. એવું માનવામાં આવે છે કે, આગામી દિવસોમાં વધુ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા છેલ્લા 15 દિવસથી સતત આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે 15 દિવસમાં 18 ફાર્મા કંપનીઓએ તેમના લાઇસન્સ ગુમાવ્યા છે. હવે કઈ ભેળસેળ થઈ રહી હતી, કઈ ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા તે અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

    follow whatsapp