Hanzala Adnan: પાકિસ્તાનમાં ભારતનો વધારે એક દુશ્મન ઠાર, ઉધમપુર કાવત્રાનો માસ્ટરમાઇન્ડ ઠાર

નવી દિલ્હી : આતંકવાદી હંજલા 26/11 હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કર પ્રમુખ હાફિસ સઇદનો નજીકનો વ્યક્તિ હતો. તેની હત્યા તેના ઘરની બહાર થઇ, જ્યારે અજાણ્યા હુમલાખોરોએ…

Pakistan terrorist death

Pakistan terrorist death

follow google news

નવી દિલ્હી : આતંકવાદી હંજલા 26/11 હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કર પ્રમુખ હાફિસ સઇદનો નજીકનો વ્યક્તિ હતો. તેની હત્યા તેના ઘરની બહાર થઇ, જ્યારે અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી હતી.

સમગ્ર વિશ્વમાં ભારતના વિરોધીઓ ઠાર મરાઇ રહ્યા છે

સમગ્ર વિશ્વમાં ભારતના દુશ્મનોને એક એક કરીને ઠાર મારવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાં વધારે એક આતંકવાદી અને ભારતની વિરુદ્ધ કાવત્રુ રચનારો હંજલા અદનાન ઠાર મરાયો છે. લશ્કર એ તૈયબાના આતંકવાદી હંજલા પર 2015 માં જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં BSF ના કાફલા પર હુમલાનું કાવત્રુ રચવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાનના કરાંચીમાં અજાણ્યા બંદુકધારીઓએ તેને ઠાર માર્યો.

હાફિઝ સઇદનો નજીકનો માણસ હતો

આતંકવાદી હંજલા 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લશ્કર પ્રમુખ હાફિઝ સઇદનો પણ નજીકનો હતો. તેની હત્યા બે અને ત્રણ ડિસેમ્બરની રાત્રે તેના ઘરની બહાર થઇ, જ્યારે અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી. તેના શરીરથી ચાર ગોળીઓ મળી છે. ઇન્ડિયા ટુડેના અનુસાર પાકિસ્તાની સેના લશ્કરના આતંકવાદીઓને ગોળી મારવામાં આવ્યા બાદ ગુપ્ત રીતે તેને એક હોસ્પિટલ લઇ ગઇ. અહીં પાંચ ડિસેમ્બરના રોજ તેનું મોત થઇ ગયું. થોડા સમય પહેલા જ હંજલા અદનાને પોતાનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાંચી શિફ્ટ કરવામાં આવ્યો.

ઉધમપુર BSF કાફલા પર હુમલાનું કાવત્રું રચ્યું હતું

લશ્કર એ તોયબાના આતંકવાદી હંજલા અદનાન પર આરોપ છે કે તેણે ઉદ્યમપુરમાં BSF ના કાફલા પર હુમલાનું કાવત્રું રચ્યું હતું. તે એટેકમાં બે જવાન શહીદ થઇ ગયા હતા, જ્યારે 13 ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA કરી રહી છે અને અત્યાર સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત આતંકવાદીએ 2016 માં જમ્મુ કાશ્મીરના પંપોર વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર એક આતંકવાદી હુમલાનો સમન્વય પણ કરવામાં આવ્યો હતો. હુમલામાં 8 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા, જ્યારે 22 અન્ય ઘાયલ થઇ ગયા હતા.

પાકિસ્તાનમાં ભારતના અનેક દુશ્મનો ઠાર મરાઇ ચુક્યા છે

આ અગાઉ પાકિસ્તાનમાં ભારતના એક અન્ય દુશ્મન આતંકવાદીઓનાં મોત થઇ ગયા હતા. ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ રોડેની પાકિસ્તાનમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત નિપજ્યું હતું. 1985 માં એર ઇન્ડિયા જેટ કનિષ્ટ પર બોમ્બમારો કરવાનો આરોપી લખબીરસિંહ રોડેની બિનકાયદેસર ગતિનિધિ અધિનિયમ હેઠળ આતંકવાદી તરીકે યાદીમાં હતો. લખબીરસિંહ રોડે જરનૈલ સિંહ ભિંડરાવાલેનો ભત્રીજો હતો. 1984 માં અમૃતસરના સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન ભિંડરાવાલેને ઠાર મરાયો હતો.

રોડે મુળ પંજાબનો વતની હતો અને દુબઇ બાદ પાકિસ્તાનમાં વસ્યો હતો

રોડે પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી હતો. જરનૈલસિંહ ભિંડરાવાલેના મોત બાદ લખબીરસિંહ શરૂઆતમાં દુબઇ જતો રહ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી પાકિસ્તાન ગયો હતો. જો કે તેનો પરિવાર કેનેડામાં રહે છે. લખબીરસિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF) અને ઇન્ટરનેશનલ સિખ યૂથ ફેડરેશન (ISYF) નો સ્વઘોષિત પ્રમુખ હતો. સુત્રો અનુસાર રોડેએ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ની સાથે મળીને કામ કર્યું.

    follow whatsapp