J-K અને લદ્દાખમાં ગઠબંધન ફાઈનલ, 3-3 સીટો પર ચૂંટણી લડશે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ

Gujarat Tak

• 05:43 PM • 08 Apr 2024

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી 400 પ્લસનો દાવો કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે.

Lok Sabha Election 2024

જન્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગઠબંધન ફાઈનલ

follow google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી 400 પ્લસનો દાવો કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કડીમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 6 લોકસભા સીટો પર પણ INDIA ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ મળીને ચૂંટણી લડવા જઈ રહી છે. આને લઈને સીટ શેરિંગ પર પણ વાતચીત થઈ ચૂકી છે અને સોમવારે તેની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો

કોંગ્રેસ સાથે કરી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

દિલ્હીમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધનની જાહેરાત કરી. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને પવન ખેડાની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું મહત્વ દરેક મામલે સૌથી વધારે રહે છે. જે સંદેશ જમ્મુ-કાશ્મીરમાંથી જાય છે, તે ખૂબ જ દૂર સુધી જાય છે. 


3-3 સીટો પર લડશે બંને પાર્ટીઓ

આ પછી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સાથે મળીને ચૂંટણી લડશે. અમને વિશ્વાસ છે કે આ 6 સીટો પર INDIA ગઠબંધનની જીત થશે. બંને પાર્ટીઓ 3-3 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ ઉધમપુર, જમ્મુ અને લદ્દાખ સીટો પર ચૂંટણી લડશે. તો નેશનલ કોન્ફરન્સ અનંતનાગ, શ્રીનગર અને બારામુલ્લાથી ઉમેદવાર ઉતારશે.  

ઓમરે ભાજપ પર નિશાન સાધ્યું

ભાજપ પર નિશાન સાધતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે ટાર્ગેટ રાખવા માટે શું જાય છે. 400 શું, 450, 500 પણ રાખી શકાય. જે રીતે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા દરોડા અને ધરપકડ કરવામાં આવી રહી છે, તેનાથી લાગે છે કે ભાજપ ગભરાટમાં છે. હાલમાં બંને પક્ષોએ ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ઉધમપુરથી લાલ સિંહ અને જમ્મુથી રમણ ભલ્લાને ટિકિટ આપી છે. તો નેશનલ કોન્ફરન્સે પ્રભાવશાળી ગુર્જર નેતા અને પૂર્વ મંત્રી મિયાં અલ્તાફને અનંતનાગથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. બાકીની બેઠકો માટેના ઉમેદવારોની પણ વહેલી તકે જાહેરાત કરવામાં આવશે.

    follow whatsapp