અસદ અહેમદના એન્કાઉન્ટર પર અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

નવી દિલ્હી: ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતીક અહેમદના ફરાર પુત્ર અસદ અહેમદને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારે અસદની સાથે, શૂટર…

gujarattak
follow google news

નવી દિલ્હી: ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અતીક અહેમદના ફરાર પુત્ર અસદ અહેમદને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારે અસદની સાથે, શૂટર ગુલામ મોહમ્મદને પણ STF દ્વારા માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર પર સપા પ્રમુખ અખિલેશ યાદવની પહેલી પ્રતિક્રિયા આવી છે. અખિલેશ યાદવે તેને ખોટું એન્કાઉન્ટર ગણાવ્યું છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, ખોટા એન્કાઉન્ટરો કરીને ભાજપ સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપને કોર્ટમાં બિલકુલ વિશ્વાસ નથી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં ન આવે. શું સાચું કે ખોટું તે નક્કી કરવાનો અધિકાર સત્તાને નથી. ભાજપ ભાઇચારાના વિરુદ્ધમાં છે.

યુપી એસટીએફ દ્વારા કરવામાં આવેલા આ એન્કાઉન્ટર પર, એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે આવા માફિયાઓ અને ભયંકર ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ અભિયાન શરૂ કર્યું છે. જેના સાર્થક પરિણામો મળ્યા છે. 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના ઘુમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના બની હતી. જેમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી, જેમાં તે સાક્ષીની સુરક્ષા માટે કાર્યરત અમારા બે બહાદુર સાથીઓ શહીદ થયા હતા.

યોગી આદિત્યનાથે STF અને DGPની કરી પ્રશંસા
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ એન્કાઉન્ટર બાદ કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી. સીએમ યોગીએ યુપી એસટીએફ તેમજ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : UP STFએ કર્યું અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર, ઉમેશ પાલ કેસમાં વોન્ટેડ હતો અસદ

જાણો શું કહ્યું ઉમેશપાલની પત્નીએ ?
ઉમેશ પાલના પત્ની જયા પાલે કહ્યું, હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું, તેમણે જે કર્યું છે તે ઘણું સારું છે. તેણે તેની પુત્રીના પતિના હત્યારાઓને સજા આપી. ન્યાય થયો છે. પોલીસે ખૂબ સહકાર આપ્યો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp