રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર (Education minister Madan Dilawar) શાળાના અભ્યાસક્રમમાં અકબર (Mughal King Akbar)ને મહાન ગણાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શિક્ષણ મંત્રીએ રહ્યું કે, અકબર મહાન ન હોઈ શકે. અકબરને મહાન કહેવું મૂર્ખતા છે. તેમણે કહ્યું કે, અકબર આક્રમક અને બળાત્કારી હતો. તે છોકરીઓ પર દુષ્કર્મ આચરતો હતો. આવો અકબર મહાન કેવી રીતે હોઈ શકે? તેમણે શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને વિવાદાસ્પદ વસ્તુઓને હટાવવાની વાત કરી છે. શિક્ષણ મંત્રીએ રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
'અકબરને મહાન કેવી રીતે કહેવો?'
બાલોત્રામાં મીડિયા સાથે વાત કરતા શિક્ષણ મંત્રી દિલાવરે કહ્યું કે, અકબર આક્રમક અને બળાત્કારી હતો. તે મીના બજાર લગાવતો અને સુંદર છોકરીઓને પોતાની સાથે લઈ જતો. ત્યાર બાદ તે છોકરીઓ પર દુષ્કર્મ આચરતો હતો. આવા અકબરને મહાન કહેવો મૂર્ખતા છે. તેણે સિલેબસમાં ફેરફાર કરવા અંગે કહ્યું કે, અભ્યાસક્રમમાં આવી વિવાદાસ્પદ બાબતોને દૂર કરવામાં આવશે. આ દરમિયાન મંત્રી દિલાવરે આસોતરા ધામ ખાતે બ્રહ્માજીના દર્શના કર્યા હતા. આ પછી તેમણે સભાગૃહમાં વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો.
સ્કૂલમાં દરરોજ થશે સૂર્ય નમસ્કાર
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં પ્રાર્થના સભા દરમિયાન દરરોજ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે. આ માટે નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, દરરોજ 10 મિનિટ સુધી પ્રાર્થના સભા દરમિયાન સૂર્ય નમસ્કાર થશે. આને લઈને હવે નિર્દેશોની સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
